Home » photogallery » banaskantha » બનાસકાંઠા : બે બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં 3નાં મોત, અમીરગઢ પંથકમાં અકસ્માતનો સીલસીલો યથાવત

બનાસકાંઠા : બે બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં 3નાં મોત, અમીરગઢ પંથકમાં અકસ્માતનો સીલસીલો યથાવત

ગઈકાલે સાંજે થયેલા અકસ્માતમાં આજે વધુ બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત, બનાસકાંઠામાં રસ્તા પર કાળ ફરી વળ્યો

विज्ञापन

  • 15

    બનાસકાંઠા : બે બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં 3નાં મોત, અમીરગઢ પંથકમાં અકસ્માતનો સીલસીલો યથાવત

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠામાં અમીરગઢ તાલુકાના ધનપુરા (Dhanpura Accident Banaskatha) ગામે ગઇકાલે મોડી સાંજે બે બાઇક સામ સામે ટકરાતા ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં આજે વધુ બે વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત થતાં અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે.

    MORE
    GALLERIES

  • 25

    બનાસકાંઠા : બે બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં 3નાં મોત, અમીરગઢ પંથકમાં અકસ્માતનો સીલસીલો યથાવત

    અમીરગઢ પંથકમાં અકસ્માતનો સીલસીલો યથાવત છે વિરમપુર ધનપુરા જતા રોડ પર ગઈકાલે મોડી સાંજે પુરપાટ ઝડપે આવી ગયેલા બે બાઇક સામ સામે ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે બાઇક પર સવાર 4 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

    MORE
    GALLERIES

  • 35

    બનાસકાંઠા : બે બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં 3નાં મોત, અમીરગઢ પંથકમાં અકસ્માતનો સીલસીલો યથાવત

    બનાવ ને પગલે આજુબાજુના લોકો અને 108 એમ્બ્યુલન્સ વાન તાત્કાલિક ઘટના સ્થળે આવી ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એક વ્યકિતનું મોત થયું હતું. બાદમાં આજે સારવાર દરમ્યાન વધુ બે વ્યક્તિઓના કરૂણ મોત નિપજતાં મૃત્યુ આંક ત્રણ થયો છે.

    MORE
    GALLERIES

  • 45

    બનાસકાંઠા : બે બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં 3નાં મોત, અમીરગઢ પંથકમાં અકસ્માતનો સીલસીલો યથાવત

    અકસ્માતમાં સાયબભાઈ લાલભાઈ ખોખરીયા, કાળાભાઈ લક્ષ્મણભાઈ ગમાર અને સોમાભાઈ ભીખાભાઈ માણસા નું મોત થયું છે. બનાવને પગલે અમીરગઢ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 55

    બનાસકાંઠા : બે બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં 3નાં મોત, અમીરગઢ પંથકમાં અકસ્માતનો સીલસીલો યથાવત

    અમીરગઢ તાલુકાના પેડચોળી ગામના કાળુભાઈ લખમાભાઈ ગમાર તેમના ભાઈઓ સાથે પાલનપુરના બાદરપુરા ગામે ભાગીયા તરીકે રહેતા હતા. જેઓ મોબાઈલ ખરીદવા નીકળ્યા હતા અને પેડચોળી ગામે ગયા હતા. જ્યાં અકસ્માતમાં તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે સામેના બાઇક ઉપર સવાર યુવકો રામપુરા વડલાથી વિરમપુર આવી રહ્યા હતા.

    MORE
    GALLERIES