Home » photogallery » banaskantha » Banaskantha: ડોક્ટર દંપતિનું લોક જાગૃતિ માટે અનોખું અભિયાન; આટલા કિ.મી.ચલાવી સાયકલ

Banaskantha: ડોક્ટર દંપતિનું લોક જાગૃતિ માટે અનોખું અભિયાન; આટલા કિ.મી.ચલાવી સાયકલ

બનાસકાંઠા જિલ્લાના ડીસાના એક તબિયત દંપતિ છેલ્લા આઠ વર્ષથી સાયકલિંગ અને રનીંગ કરી પોતાના શરીરને ફીટ રાખવાની સાથે અન્ય લોકોને પણ આ કાર્ય કરવા માટે જાગૃત કરી રહ્યા છે.અનેક થીમ સાથે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

विज्ञापन

  • 17

    Banaskantha: ડોક્ટર દંપતિનું લોક જાગૃતિ માટે અનોખું અભિયાન; આટલા કિ.મી.ચલાવી સાયકલ

    Nilesh Rana, Banaskantha: હાલમાં કેટલાય વર્ષોથી સાઈકલનો ઉપયોગ ખુબજ વધ્યો છે અને લોકો પરિર્યાવરણને બચાવવાની સાથે સાથે પોતાના શરીરને પણ ફીટ રાખવા માટે સાઈક્લીંગ કરે છે. તો આ ઉપરાંત પેટ્રોલના ભાવ પણ 95 ને પાર થઈ જતાં હવે લોકો સાઈકલનો ઉપયોગ વધુ કરવા લાગ્યા છે.

    MORE
    GALLERIES

  • 27

    Banaskantha: ડોક્ટર દંપતિનું લોક જાગૃતિ માટે અનોખું અભિયાન; આટલા કિ.મી.ચલાવી સાયકલ

     ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસાના એક તબિયત દંપતિ છેલ્લા આઠ વર્ષથી સાયકલિંગ અને રનીંગ કરી પોતાના શરીરને ફીટ રાખવાની સાથે અન્ય લોકોને પણ આ કાર્ય કરવા માટે જાગૃત કરી રહ્યા છે.તેમજ અનેક થીમ સાથે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 37

    Banaskantha: ડોક્ટર દંપતિનું લોક જાગૃતિ માટે અનોખું અભિયાન; આટલા કિ.મી.ચલાવી સાયકલ

    બનાસકાંઠા જિલ્લાના ડીસાના જાણીતા ઓથોપેટીક તબીબ ડો.મેહુલ મોઢ જેમની હાલની ઉંમર 47 વર્ષ છે અને તેમના પત્ની ફિઝિયોથેરાપિસ્ટ ડો.સ્મિતા મોઢ ની ઉંમર 44 વર્ષ છે. આ તબીબ દંપતી છેલ્લા 8 વર્ષથી નિયમિત સાઈક્લીંગ અને રનીંગ કરે છે. આ બન્ને તબીબ દંપતિએ અત્યાર સુધીમાં 10 હાજર કિલોમીટર સાઈક્લીગ કરવાની સાથે 25 જેટલી હાફ મેરેથોન ફુલ મેરેથોન સ્પધા માં ભાગ લઈ અનેક મેડલ પ્રાપ્ત કર્યા છે.

    MORE
    GALLERIES

  • 47

    Banaskantha: ડોક્ટર દંપતિનું લોક જાગૃતિ માટે અનોખું અભિયાન; આટલા કિ.મી.ચલાવી સાયકલ

     આ તબિબ દંપતિએ ડીસા થી બાલારામ, અંબાજી માઉન્ટ આબુ તેમજ સીમલા,મનાલી ,લેહ લદાખ, કાશ્મીર જેવા સ્થળ ઉપર પણ સાયકલિંગ કર્યું છે અને આ તબિબ દંપતીએ પોતાની ઉંમરના 50 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં 50 હાફ મેરેથોન પૂર્ણ કરવાનો લક્ષાંક પણ નક્કી કર્યો છે.

    MORE
    GALLERIES

  • 57

    Banaskantha: ડોક્ટર દંપતિનું લોક જાગૃતિ માટે અનોખું અભિયાન; આટલા કિ.મી.ચલાવી સાયકલ

    ડો.મેહુલ મોઢ અને ડો.સ્મિતા મોઢે જણાવ્યું હતું કે અમે બન્ને છેલ્લા ૧૦ વર્ષથી નિયમિત સાઈક્લીંગ અને રનીંગ કરીએ છીએ સાઈક્લીંગ કરવાથી આપણે પર્યાવરણને પણ બચાવવાની સાથે આપણા શરીરને પણ ફીટ રાખી શકીએ છીએ જેથી લોકોએ નિયમિત સાઈક્લીંગ કરવું જોઈએ. તેમજ આ બંને દંપતિ દ્વારા અલગ અલગ થીમ પર લોકોને જાગૃતિ માટે પણ સમજણ આપી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 67

    Banaskantha: ડોક્ટર દંપતિનું લોક જાગૃતિ માટે અનોખું અભિયાન; આટલા કિ.મી.ચલાવી સાયકલ

     જેમ કે કોરોનાના કાળ દરમિયાન સરકાર દ્વારા લોકો કોરોનાથી બચે તે માટે વેક્સિનની શરૂઆત કરી હતી ત્યારે આ બંને તબીબ દંપતી દ્વારા સાયક્લિન ની સાથે લોકો વધુને વધુ વેક્સિન લે તેવી એક થીમ પર લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસો કરાયા હતા તેમજ અત્યારે આ તબીબ દંપતી દ્વારા અંગદાન ઝુંબેશ એક ફિટનેસ સાથે જોડી છે.

    MORE
    GALLERIES

  • 77

    Banaskantha: ડોક્ટર દંપતિનું લોક જાગૃતિ માટે અનોખું અભિયાન; આટલા કિ.મી.ચલાવી સાયકલ

     લોકો વધુને વધુ અંગદાન કરે તેવી જાગૃતિ લાવવા માટે અત્યારે સાયકલિંગ કરી રહ્યા છે. અને લોકોને જણાવી રહ્યા છે કે મૃત્યુ બાદ લોકો વધુને વધુ ચક્ષુ દાન કરે તેમજ કોઈ વ્યક્તિ બ્રાન્ડેડ અથવા તો કોઈ સીરીયસ‌ પેશન્ટ હોય તેવા લોકોને અંગદાન કરે જેથી કોઈની જિંદગી બચી શકે એક વ્યક્તિ અંગદાન કરે તો સાત લોકોને નવી જિંદગી મળી શકે તેમ છે. આ થીમ સાથે આ બંને તબીબ દંપતી સાયકલિંગ તેમજ રનીંગ કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

    MORE
    GALLERIES