કિશોર તુવર, બનાસકાંઠા: હવામાન વિભાગ (Meteorological department)ની આગાહી મુજબ બનાસકાંઠામાં આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ (Banaskantha Monsoon) પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે અગમચેતીના ભાગરૂપે બનાસકાંઠા (Banaskantha Rainfall)ના પાલનપુરમાં એનડીઆરએફ (NDRF Team Gujarat)ની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. (PIC: IMD Ahmedabad)
ગુજરાતના અનેક જિલ્લાઓ સહિત બનાસકાંઠામાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સાંભવનાને પગલે NDRFના 25 સભ્યોની ટીમ બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં ઉતારીને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જેમાં NDRF ટીમ દ્વારા બચાવની કામગીરી માટે લાઈવબોય, લાઈવ જેકેટ, રબ્બરની બોટ તેમજ વૃક્ષો કાપવાના કટિંગ મશીનો સહિતના સાધનો સાથે સજ્જ રાખવામાં આવી છે. આ NDRFની ટીમ જે જગ્યા પર વધારે વરસાદ અને બચાવની કામગીરીની જરૂર હશે તે બાજુ મુવ કરીને રાહત અને બચાવની કામગીરી કરાશે.
ઉલ્લેખનીય છે કે 2015 અને 2017 માં બનાસકાંઠામાં આવેલ પુરે ભારે તારાજી સર્જી હતી. વિનાશક પૂરના કારણે અનેક વિસ્તારો તબાહ થઈ ગયા હતા તો કેટલાય લોકોના જીવ પણ પાણીના પ્રકોપે લઈ લીધા હતા. બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં જાન-માલનું નુકશાન પણ થયું હતું. જોકે 2015 અને 2017માં ભારે પૂર વચ્ચે એનડીઆરએફની ટીમો દ્વારા અનેક લોકોના જીવ પણ સમયસર બચાવી લીધા હતા. લગભગ બનાસકાંઠા જિલ્લામાં આઠ હજારથી પણ વધુ લોકોને એનડીઆરએફની ટીમે પાણીમાંથી નીકાળીને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા.
જોકે ફરી એક વાર હવામાન ખાતા દ્વારા ફરીથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ફરીથી બનાસકાંઠામાં કોઈ નુકશાન ન થાય તેના અગમચેતીના પગલે પાલનપુરમાં એનડીઆરએફની ટીમ ઉતારવામાં આવી છે. જેમાં 25 જવાનો બચાવની વિવિધ સામગ્રીઓ અને બોટ સાથે હાજર છે. બનાસકાંઠા જિલ્લામાં એનડીઆરએફની ટીમ હાજર હોવાથી વરસાદના સમયે જો કોઈ વિસ્તારમાં મદદની જરૂર હોય તો ઝડપી મદદ માટે પહોંચી શકશે.