બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બે ગમખ્વાર અકસ્માતમાં સાત લોકોએ જીવ ગુમાવ્યો છે. ધાનેરા તાલુકાના વીંછીવાડી પાસે રાજસ્થાની ખાનગી બસ (Bus) અને રિક્ષા (Auto Rickshaw) વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં મોત (Death) થયા છે. બીજી તરફ ડીસા ખાતે થયેલા અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. ડીસા ઓવરબ્રિજ (Deesa over bridge) પર આ ગોઝારો અકસ્માત થયો છે. અકસ્માત બાદ ઇસબગુલ ભરેલો ટ્રક બ્રિજ પર જ પલટી ગયો હતો. જેના પગલે એક સાઇડનો રસ્તો બંધ થઈ ગયો હતો. બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રક અને ટ્રેલરને ખસેડવાની કાર્યવાહી શરૂ કરી હતી.
ધાનેરા ખાતે અકસ્માતમાં પાંચનાં મોત : બનાસકાંઠા (Banaskantha accident)ની રાજસ્થાન (Rajasthan border accident) સરહદને અડીને આવેલા ધાનેરા તાલુકાના વીંછીવાડી પાસે રાજસ્થાની ખાનગી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલાઓ, 1 પુરુષ અને 1 બાળક મળીને ચાર લોકોના મોત નિપજ્યા હતા. સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત નીપજતા કુલ પાંચ લોકોનાં મોત થયા છે. બનાવમાં અન્ય પાંચ જેટલા લોકો ઘાયલ થયા છે.