જેના પગલે પાંચ સભ્યો ગંભીર રૂપથી ઘાયલ થતાં લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ બે સભ્યોને મૃત જાહેર કરી લીધા હતા. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત ત્રણ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે જાણ થતાં જ પોલીસે કાર્યવાહી કરીને બે શંકાસ્પદ આરોપીને પકડી લીધા હતા.
ઘટનાના પગલે 108ની બે ટીમો ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થ ડીસા હોસ્પિટલ તેમજ પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા લોકો મહાવીર ચેલાભાઈ માજીરાણા, અંતરાબેન મહેશભાઈ માજીરાણા અને મહેશ ગણેશભાઈ માજીરાણાને હાલ સારવાર અપાઇ રહી છે. જેમાં એક પુરુષ અને એક મહિલાને ડોક્ટરે મૃત જાહેર કર્યાં છે.