Home » photogallery » banaskantha » રાધનપુર : બેકાબૂ ક્રેટા રોડ પરથી ખેતરમાં ધસી જતા ત્રણ વ્યક્તિનાં મોત, દિવાળીએ માતમ છવાયો!

રાધનપુર : બેકાબૂ ક્રેટા રોડ પરથી ખેતરમાં ધસી જતા ત્રણ વ્યક્તિનાં મોત, દિવાળીએ માતમ છવાયો!

રાધનપુર નજીક નેશનલ હાઇવે બાજુના ખેતરમાં ક્રેટા ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ખેતરમાં ખેડૂતો પર ફરી વળી, 3નાં ઘટનાસ્થળે મોત

विज्ञापन

  • 16

    રાધનપુર : બેકાબૂ ક્રેટા રોડ પરથી ખેતરમાં ધસી જતા ત્રણ વ્યક્તિનાં મોત, દિવાળીએ માતમ છવાયો!

    પાટણના કલ્યાણપુરા નજીક થયો અકસ્માત, ક્રેટાના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા એક સાથે ત્રણ કુલદિપકો ઓલવાઇ ગયા રાધનપુર : સમગ્ર રાજ્ય અને દેશ જ્યારે દિવાળીના તહેવારની હર્ષોલ્લાસથી ઊજવણી કરી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના રાધનપુરમાં માતમ છવાયો છે. રાધનપુરના (Radhanpur accident) કલ્યાણપુરા નજીક આવેલા એક ખેતરમાં હાઇવે પરથી પસાર થઈ રહેલી બેકાબૂ ક્રેટા (creta Accident RadhanPur) કાર ધસી આવી હતી. સવારે 7.00 વાગ્યાના સુમારે થયેલા અકસ્માતમાં વાડીમાં કામ કરી રહી રહેલા 3 ખેડૂતોનાં મોત થયા હતા જ્યારે બે વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.

    MORE
    GALLERIES

  • 26

    રાધનપુર : બેકાબૂ ક્રેટા રોડ પરથી ખેતરમાં ધસી જતા ત્રણ વ્યક્તિનાં મોત, દિવાળીએ માતમ છવાયો!

    બનાવની વિગત એવી છે કે રાધનપુરથી સાત કિલોમીટર દૂર આવેલા કલ્યાણપુરા ગામમાં કાળી ચૌદસની વહેલી સવારે સાતેક વાગ્યાના સુમારે નેશનલ હાઇવેની સાઇડ પર આવેલા ખેતરમાં પાંચ યુવાન ખેડૂતો ખેતરની વાડ કરી રહ્યા હતા.

    MORE
    GALLERIES

  • 36

    રાધનપુર : બેકાબૂ ક્રેટા રોડ પરથી ખેતરમાં ધસી જતા ત્રણ વ્યક્તિનાં મોત, દિવાળીએ માતમ છવાયો!

    દરમિયાન કચ્છ તરફથી આવાતા ક્રેટા ગાડીના ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો. ક્રેટા સર્વિસ રોડ પરથી ઉતરીને ફૂલસ્પીડમાં ખેતરમાં ઘૂસી હતી. જેમાં વાડ કરી રહેલા 3 લોકોને ક્રેટાએ અડફેટે લેતા ત્રણેયના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 2નો ચમત્કારિક બચાવ થયો હતો.

    MORE
    GALLERIES

  • 46

    રાધનપુર : બેકાબૂ ક્રેટા રોડ પરથી ખેતરમાં ધસી જતા ત્રણ વ્યક્તિનાં મોત, દિવાળીએ માતમ છવાયો!

    આ અકસ્માતમાં પ્રાપ્ત અહેવાલો મુજબ ધનજીભાઈ ઠાકોર, પ્રભુભાઈ ઠાકોર, અને નભાભાઈ ઠાકોરનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોના પાર્થિવ શરીરને રાધનપુર રેફરલ હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે, આજ અકસ્માતમાં બે સગાભઆઈ કાનજી અને બચુભાઈનો બચાવ થયો હતો.

    MORE
    GALLERIES

  • 56

    રાધનપુર : બેકાબૂ ક્રેટા રોડ પરથી ખેતરમાં ધસી જતા ત્રણ વ્યક્તિનાં મોત, દિવાળીએ માતમ છવાયો!

    જે ખેતરમાં ક્રેટા કાર ઘુસી ગઈ તે રાધનપુરના કલ્યાણપુરા ગામમાં ખેતરને નજીક આવેલું હતું. આ સમયે આ પાંચ ખેડૂતો ઢોર ચઢી ન આવે તે માટે પાકને બચાવવા માટે વાડ કરી રહ્યા હતા. એક ચાલકની ભૂલના કારણે ઠાકોર પરિવારના 3 કુલદિપકોનો દિવો આજે દિવાળીના પર્વે જ બુઝાઈ ગયો છે.

    MORE
    GALLERIES

  • 66

    રાધનપુર : બેકાબૂ ક્રેટા રોડ પરથી ખેતરમાં ધસી જતા ત્રણ વ્યક્તિનાં મોત, દિવાળીએ માતમ છવાયો!

    જે ક્રેટા કારનો અકસ્માત થયો તો કચ્છના ભુજ આરટીઓનું પાસિંગ ધરાવે છે. જોકે, આ અકસ્માતમાં તેના ચાલકની ગંભીર બેદરકારી કલ્યાણપુર ગામ માટે કાળરાત્રી સાબિત થઈ છે. 12 મહિનાના પરબે જ ઠાકોર પરિવારના જુવાનજોધ દીકરાઓ મોતને ભેટતા લોકોમાં શોકાગ્નિ જોવા મળ્યો છે.

    MORE
    GALLERIES