આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: "હું તમને છોડીને જાઉં છું કારણ કે હું મારી પ્રેમિકા વગર રહી શકું તેમ નથી. મારી પ્રેમિકા પણ મારા વગર રહી શકે તેમ નથી તેથી અમે બંને બધાને છોડીને જઈ રહ્યા છીએ." બનાસકાંઠાના નોખા ગામ (Nokha village) પાસે નર્મદા કેનાલમાં ફરી એક યુગલે ઝંપલાવી આત્મહત્યા (Suicide) કરી લીધી છે. આપઘાત કરી લેનાર યુવક અને યુવતી છેલ્લા પાંચ વર્ષથી એકબીજાને પ્રેમ (Love relation) કરતા હતા. બંને એક ન થઈ શકતા એક સુસાઇડ નોટ લખને આપઘાત કરી લીધો છે. સુસાઇડ નોટમાં બંનેએ એવી અપીલ કરી છે કે બંનેના અંતિમ સંસ્કાર એક સાથે જ કરવામાં આવે.
યુગલે લખેલી સુસાઇડ નોટ: "હું તમને છોડીને જાઉં છું કારણ કે હું મારી પ્રેમિકા વગર રહી શકું તેમ નથી. મારી પ્રેમિકા પણ મારા વગર રહી શકે તેમ નથી તેથી અમે બંને બધાને છોડીને જઈ રહ્યા છીએ. અમે ક્યારેય સાથે તો રહેવાના નથી તેથી તે વિચારીને જઈએ છીએ. અમારાથી કંઈ નાની મોટી ભૂલ થઈ હોય તો માફ કરજો. અમે સાથે તો રહ્યા નથી પરંતુ અમારા અગ્નિ સંસ્કાર સાથે થાય તેવા પ્રયત્ન કરજો. આટલી અમારી ઇચ્છા પૂરી કરજો."
દિયોદર તાલુકાના ઝાડા ગામના એક પ્રેમી યુગલે આત્મહત્યા કરી લીધી છે. ઝાડા ગામ ખાતે રહેતો શ્રવણ જોરાજી ઠાકોર અને ગામમાં રહેતી એક યુવતી બંને એકબીજાને પ્રેમ કરતા હતા. છેલ્લા પાંચ વર્ષથી બંને એકબીજાને પ્રેમ કરતા હોઇ એકબીજા વગર રહી શકે તેમ ન હોવાથી ગઈકાલે બંનેએ નોખા ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.