Home » photogallery » amreli » અમરેલી : કરૂણ ઘટના! 75 વર્ષના માનસિક બીમાર આધેડને દીપડાએ ફાડી ખાધા, હાથ હતો બંધેયાલો

અમરેલી : કરૂણ ઘટના! 75 વર્ષના માનસિક બીમાર આધેડને દીપડાએ ફાડી ખાધા, હાથ હતો બંધેયાલો

અમૃતપુર નજીક વાડી વિસ્તારમાં મનુભાઈ દેવરાજ ભાી સાવલિયાને દીપડાએ ફાડી ખાધા, ભત્રીજાએ કહ્યું માનસિક તકલીફ હતી વાડીઓ જ રહેતા હતા આધેડ

  • 15

    અમરેલી : કરૂણ ઘટના! 75 વર્ષના માનસિક બીમાર આધેડને દીપડાએ ફાડી ખાધા, હાથ હતો બંધેયાલો

    રાજન ગઢિયા, અમરેલી : અમરેલી જિલ્લાની (Amreli) ધારી (Dhari) ગીરની દલખાણીયા રેંજમાં (Dalkhaniya Range) આવેલા એક ગામમાં આજે કરૂણ ઘટના ઘટી છે. અહીંયા વાડીએ રહેતા એક 75 વર્ષના (Leopard Killed 75 Years old) આધેડને દીપડાએ ફાડી ખાધા હતા. આ ઘટના એચલી દુ:ખદ સાથે સાથે ચોંકાવનારી છે કે જાણીને ભલભલાના રૂવાંડા ઊભા થઈ જશે. કારણ કે આધેડને માનસિક સમસ્યા હોવાથી તેઓ એકલા જ વાડી રહેતા હતા તેવામાં દીપડાએ તેમને ફાડી ખાતા હાહાકાર મચી ગયો છે.

    MORE
    GALLERIES

  • 25

    અમરેલી : કરૂણ ઘટના! 75 વર્ષના માનસિક બીમાર આધેડને દીપડાએ ફાડી ખાધા, હાથ હતો બંધેયાલો

    વાડીએથી મળી આવેલા મૃતદેહની તસવીરો ચોંકાવનારી છે કારણ કે આધેડનો હાથ એક કડી સાથે બંધાયેલો હતો. આ હાલતમાં કદાચ તેઓ દીપડાએ હુમલો કર્યો હશે ત્યારે ભાગી પણ નહીં શક્યા હોય અથવા તો ભાગવાની અવસ્થામાં નહીં હોય.

    MORE
    GALLERIES

  • 35

    અમરેલી : કરૂણ ઘટના! 75 વર્ષના માનસિક બીમાર આધેડને દીપડાએ ફાડી ખાધા, હાથ હતો બંધેયાલો

    આ ઘટનાની જાણ થતા વનવિભાગ વાડીએ પહોંચ્યું હતું. વનવિભાગને પણ આધેડને બાંધી રાખ્યા હોવાની આશંકા છે. ઘટનાની તપાસ વનવિભાગ કરી રહ્યું છે સાથે સાથે મૃતકના પોસ્ટમોર્ટમની પણ તજવીજ હાથ ધરાઈ છે.

    MORE
    GALLERIES

  • 45

    અમરેલી : કરૂણ ઘટના! 75 વર્ષના માનસિક બીમાર આધેડને દીપડાએ ફાડી ખાધા, હાથ હતો બંધેયાલો

    ગામના સરપંચ અને મૃતકના ભત્રીજા બંનેએ જણાવ્યું હતું કે મૃતક મનુભાઈ સાવલિયાને માનસિક તકલીફ હતી અને તેઓ વાડીએ જ હતા ત્યારે આજે સવારે 4.00 વાગ્યાની આસપાસ તેમના પર હુમલો થયો હોય તેવો મેસેજ આવ્યો હતો. જોકે, દીપડાના આ હુમલામાં આધેડના શરીરના અનેક અંગો દીપડો ખાઈ ગયો છે.

    MORE
    GALLERIES

  • 55

    અમરેલી : કરૂણ ઘટના! 75 વર્ષના માનસિક બીમાર આધેડને દીપડાએ ફાડી ખાધા, હાથ હતો બંધેયાલો

    આ ઘટના બાદ વનવિભાગ વનવિભાગે પાંજરા મૂકી અને દીપડાને પૂરવાની તજવીજ હાથ ધરી છે. દીપડાઓ હુમલાના બનાવમાં અન્ય કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવા નહીં તેની તકેદારી વનવિભાગે રાખવી રહી. જોકે, આ ઘટનામાં આધેડને સાંકળે બાંધી રાખ્યા હતા કે કેમ તે અંગે પરિવારે કોઈ વાત કરી નથી.

    MORE
    GALLERIES