અંબાજી: જાંબુડી વિસ્તારમાં એક બીએસએફ જવાનનું મૃત્યું થયું છે. ભૂરારામ કેવળાભાઈ ગરાસિયા નામના જવાન રજા લઈને ઘરે આવ્યા હતા. ઘર પાસે જ તેમનું બાઇક સ્લીપ થતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમની સારવાર માટે જવાનને પાલનપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જવાનનું સારવાર દરમિયાન જ ગુરૂવારે પ્રાણ પંખીડુ ઉડી જતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. નોંધનીય છે કે, સારવાર દરમિયાન ગુરૂવારે તેમનું મૃત્યું થયું હતુ.