નવી દિલ્હી : ભારતમાં લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. કોરોના (Coronavirus) સામેની લડાઈ વધુ મજબૂત બનાવવા માટે જરૂરી છે વેક્સીનના (Corona Vaccine) શક્ય હોય તેટલા વધુ ડોઝ દેશમાં આપવા જરૂરી છે. ત્યારે દેશની ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાની (zydu Cadila) કોરોના વેક્સીનને ઇર્જન્સી ઉપયોગલ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ કોરોના વેક્સીનનું નામ ZyCov-D છે અને તે સંપૂર્ણપણે સ્વદેશી છે. ડ્રગ કંટ્રોલ જનરલ ઑફ ઇન્ડિયાની એક્સપર્ટ કમિટી દ્વારા આ વેક્સીનને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે. કમિટીએ ઇમર્જન્સી ઉપયોગની પરવાનગી સાથે 2 ડોઝની અસરનો વધારે ડેટા પણ માંગ્યો છે.
અગાઉ કેડિલાએ જણાવ્યું હતું કે એપ્રુલવલ મળે તેના બે મહિનાની અંદર તેઓ વેક્સીન લૉન્ચ કરી શકે છે. ZyCov-D વેક્સીનને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેકનોલોજી અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ રિસર્ચ દ્વારા સંયુક્ત ઉપક્રમે વિકસિત કરવામાં આવી છે. આ વેકસીન 2-8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સામાન્ય ટેમ્પરેચરમાં રાખી શકાય છે.