Home » photogallery » ahmedabad » અલનીનો એટલે શું? ગુજરાતમાં ચોમાસા પર અસર કરશે કે નહીં? જાણો નિષ્ણાતનો મત

અલનીનો એટલે શું? ગુજરાતમાં ચોમાસા પર અસર કરશે કે નહીં? જાણો નિષ્ણાતનો મત

અલનીનો એટલે શું? આ વર્ષે ચોમાસા પર તેની શું અસર પડશે? શું કહે છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી?

  • 16

    અલનીનો એટલે શું? ગુજરાતમાં ચોમાસા પર અસર કરશે કે નહીં? જાણો નિષ્ણાતનો મત

    વિભુ પટેલ, અમદાવાદ: ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું છે. મધ્ય ભારતમાં પણ ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે. મધ્ય ભારતમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડીસા, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય અથવા સામાન્યથી ઓછો વરસાદ રહેવા થવાની સંભાવના છે. ચોમાસુ નબળું રહેવાના અનુમાનથી ખેડૂતોની ચિંતા વધી છે. પરંતુ ચોમાસા વરસાદ કેટલા ટકા થશે તેના કરતાં ચોમાસું નિયમિત રહે તે જરૂરી છે. ઓછા વરસાદમાં પણ કૃષિ પાકને જરૂર છે તેવા સમયે વરસાદ થશે તો નબળા ચોમાસામાં પણ કૃષિ પાક સારો થાય છે.

    MORE
    GALLERIES

  • 26

    અલનીનો એટલે શું? ગુજરાતમાં ચોમાસા પર અસર કરશે કે નહીં? જાણો નિષ્ણાતનો મત

    હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ચાલુ વર્ષે અલનીનો જોવા મળશે, પણ સાથે સારી બાબત એ છે કે ચાલુ વર્ષે MJO પોઝીટીવ રહેશે. જેના લીધે અલનીનો સક્રિય હોવા છતાં વર્ષ સારું રહેશે તેવું અનુમાન છે.

    MORE
    GALLERIES

  • 36

    અલનીનો એટલે શું? ગુજરાતમાં ચોમાસા પર અસર કરશે કે નહીં? જાણો નિષ્ણાતનો મત

    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, અલનીનો એટલે કે પેસેફિક મહાસાગર પૂર્વ કિનારે જળ વાયુ ગરમ થાય તેને અલનીનો કહેવામાં આવે છે. અલનીનોમાં ઉત્તર ઓસ્ટ્રેલિયમાં હવાનું દબાણ ભારે હોય છે અને પૂર્વ પેસેફિક મહાસાગરમાં હવાનું દબાણ હલકું હોય છે. ઓસ્ટેલિયાની હવા પૂર્વ પેસેફિક મહાસાગર જાય છે. જેની અસર ભારત પર થાય છે. કારણ કે આપણું હવામાન નથી, પરંતુ વૈશ્વિક હવામાન અસર થાય છે.

    MORE
    GALLERIES

  • 46

    અલનીનો એટલે શું? ગુજરાતમાં ચોમાસા પર અસર કરશે કે નહીં? જાણો નિષ્ણાતનો મત

    અલનીનો વર્ષમાં વરસાદ ઓછો થતો હોય છે, પંરતુ એવું માની શકાય નહીં. કારણ કે દક્ષિણ હિંદ મહાસાગર પશ્ચિમ પૂર્વનો હવામાન સાનુકૂળ રહે તો અસર થતી નથી. એટલે દક્ષિણ હિંદ મહાસાગરમાં હવામાન સાનુકૂળ રહેવાની શક્યતા છે.

    MORE
    GALLERIES

  • 56

    અલનીનો એટલે શું? ગુજરાતમાં ચોમાસા પર અસર કરશે કે નહીં? જાણો નિષ્ણાતનો મત

    અત્યારે જોવા જોઈએ તો વરસાદની સાયકલ શરુ થઇ જવા પામી છે. છેલ્લા કેટલાક વર્ષ લાલાનીનોના હતા, એટલે વરસાદ સારો થયો હતો. દક્ષિણ હિંદ મહાસાગરમાં હવામાન સાનુકૂળ રહેશે તો શ્રીકાર વરસાદ થતો પણ હોય છે. ચોમાસું નબળું આવે અથવા બરાબર આવે નહીં, તેનું આકલન અત્યારથી થઇ શકે નહીં.

    MORE
    GALLERIES

  • 66

    અલનીનો એટલે શું? ગુજરાતમાં ચોમાસા પર અસર કરશે કે નહીં? જાણો નિષ્ણાતનો મત

    દક્ષિણ હિંદ મહાસાગરની સ્થિતિ કેવી છે. તેના પર નજર રાખી ઈષ્ટ રહે. તેમજ અત્યારે તો ચોમાસાના ચિન્હો બરોબર જણાઇ આવે છે અને શરુઆતમાં ચોમાસું નિયમિત આવવાની શક્યતા રહેશે. પરંતુ વચ્ચે ચોમાસું ખેંચાઇ અને પાછળ વરસાદ સારો રહેશે.

    MORE
    GALLERIES