Home » photogallery » ahmedabad » આ વર્ષે વરસાદનો વરતારો: ગાડલી જોઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

આ વર્ષે વરસાદનો વરતારો: ગાડલી જોઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ચૈત્ર સુદ પાંચમના દિવસે જોવામાં આવે છે ગાડલી. કેવું રહેશે વર્ષ, તેનું તારણ લગાવવામાં આવે છે. ગાડલી જોઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

  • 15

    આ વર્ષે વરસાદનો વરતારો: ગાડલી જોઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

    વિભુ પટેલ, અમદાવાદ: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જાર જોઈને વરતારો કાઢ્યો હતો કે, ચોમાસું એકંદરે સારું રહેશે. તેમજ વરસાદ વાવાઝોડા સાથે આવવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાંથી ભેજનું પ્રમાણ વધુ રહેશે. ઘણી વખત વાવાઝોડા સાથે વધુ વરસાદ થઈ જવાના કારણે વચ્ચે વરસાદની ખેંચ પડતી હોવાથી ત્યારે પિયત આપવું પડે. પરંતુ હવે તેમણે ગાડલી જોઈને પણ અનુમાન લગાવ્યું છે.

    MORE
    GALLERIES

  • 25

    આ વર્ષે વરસાદનો વરતારો: ગાડલી જોઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

    ચૈત્ર સુદ પાંચમના દિવસે ગાડલી જોવામાં આવે છે અને વર્ષ કેવું રહેશે, તેનું તારણ લગાવવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીના દિવસે ગાડલી જોવામાં આવી હતી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગાડલી જોઈને અનુમાન લગાવ્યું છે કે, ગાડલીથી ઉતર તરફ ચંદ્ર હોય તેવું અનુમાન છે. જેના કારણે વર્ષ સારું રહેશે. ચૈત્ર સુધ પાંચમના દિવસે સંધ્યા સમય પછી ગાડલી જોવામાં આવે છે. જેમાં રોહિણી નક્ષત્રના ઝૂમખા પરથી અનુમાન લગાવવામાં આવે છે. જ્યારે આ વર્ષે ગાડલીની વાત કરીએ તો, રોહિણી નક્ષત્રના ઝૂમકાના ઉત્તર બાજુ ચંદ્ર જોવા મળ્યું હતું. જેના લીધે એકંદરે વર્ષ સારુ રહેશે, તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 35

    આ વર્ષે વરસાદનો વરતારો: ગાડલી જોઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

    ગાડલી ચૈત્ર સુદ પાંચમના દિવસે સાંજે જોવામાં આવે છે. રોહિણી નક્ષત્ર પાંચ તારાનું છે. ગાડાનો આકાર હોવાથી તેને ગાડલી કહેવામાં આવે છે. ચંદ્રમાં વેપારી ગણાવામાં આવે છે. કૃતિકા નક્ષત્ર આસપાસ 6 તારાનુ ઝૂંમખી આવેલું છે.

    MORE
    GALLERIES

  • 45

    આ વર્ષે વરસાદનો વરતારો: ગાડલી જોઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

    ગાડલીના 4 તારાનો ભાગ ગાડાની બેઠક ગણવી. તેમજ ઉપરનો ભાગ ધોસરો ગણવો. તારા અને ગાડા વચ્ચેના ભાગને ઉધ ગણવી. જે સાલમા ગાડલીથી ચંદ્રમાં આગળ હોય તો વર્ષ સારું થાય અને વેપારીઓને લાભ થાય છે. જ્યારે ધોસરેથી ઉધ ઉપર ચંદ્રમાં હોય તો વેપારીઓને લાભ થાય છે અને વર્ષ સરભર થાય છે. ગાડા વચ્ચે ચંદ્રમાં હોય તો દુકાળ ગણવવામાં આવે છે. ગાડલીથી ઉતરમાં ચંદ્રમાં હોય તો વેપારીને કમાણી નહીં વર્ષ સાધારણ જાય છે. ચંદ્રમાં ગાડલીની પછવાડે હોય તો વર્ષ સારું થાય છે. ચંદ્ર અસ્ત પામતા કૃતિકા નક્ષત્ર આથમે તો વર્ષ સારું નહીં અને ખરાબ પણ નહીં, તેમ મનાય છે.

    MORE
    GALLERIES

  • 55

    આ વર્ષે વરસાદનો વરતારો: ગાડલી જોઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

    હોળી અને ગાડલી પરના વરતારા પરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન લગાવ્યું છે કે, આ વર્ષ એકંદરે સારું રહેશે.

    MORE
    GALLERIES