સંજય ટાંક, અમદાવાદ: જો આપ ખોરાકમાં મીઠું ઉપયોગમાં લઇ રહ્યા છો તો થઇ જજો સાવધાન. કારણ કે એક ચપટી વધારાનું મીઠું તમારા શરીરમાં નવાનવા રોગોને નોતરી શકે છે. આખા દિવસમાં રોજિંદા આહારમાં મીઠુનું પ્રમાણ અંદાજે 2300 મીલીગ્રામ મીઠુ લેવું જોઈએ જે સ્ટાન્ડર્ડ લિમિટ છે. તેનાથી વધુ મીઠું આહારમાં લેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. જાણો આહારમાં લેવાતી મીઠાની એક વધારાની ચપટી કેવી કેવી બીમારીઓને આમંત્રણ આપે છે. જેનાથી કેમ ચેતવું જરૂરી છે અને શું કહી રહ્યા છે ડોક્ટર્સ તે પણ જાણીએ.
આ અંગે સિનિયર ફીજીશિયન અને સ્વામીનારાયણ મેડિકલ કોલેજના એસોસિએટ પ્રોફેસર ડો. પ્રવિણ ગર્ગ જણાવે છે કે, એક્સેસીવ સોલ્ટ એ ઝેર સમાન છે. જે શરીરના દરેક ઓર્ગન પર ધીરે ધીરે અસર કરે છે. વધુ પડતું મીઠું શરીરના દરેક ઓર્ગન પર અસર કરે છે. ખાસ કરીને બ્રેઈનની વાત કરવામાં આવે તો વધારે પડતા મીઠાના વપરાશથી સતત હેડએક અને સ્ટ્રોક રહેવાની શક્યતા વધી જાય છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, વધુ પડતુ મીઠુ વપરાશમાં લેવાથી હાર્ટ ફેલીયોર કે હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે. પેટમાં વધુ પડતું મીઠું લેવાથી ક્રોનિક ગેસ આસ્ટ્રાઈટીસ, અલસર અને કેન્સર થવાની શક્યતા વધી જાય છે. કિડનીની વાત કરવામાં આવે તો કીડની પર સોજા અને કિડની સ્ટોન પણ થઈ શકે. વધુ પડતું મીઠું બોડીના નબ્સ અને મસલ્સ પર ડેમેજ કરે છે. બોન્સમાં પણ કેલ્શિયમ ઓછુ થવાથી ઓસ્ટીયો પોરોસિસની પોસિબ્લિટી વધી જાય છે.