Home » photogallery » ahmedabad » Ahmedabad: અમદાવાદ, ગાંધીધામ,ભુજમાં પાટોત્સવ, ઠેરઠેર રક્તદાન થયું, આટલી બોટલ રક્ત એકત્ર કરાયું

Ahmedabad: અમદાવાદ, ગાંધીધામ,ભુજમાં પાટોત્સવ, ઠેરઠેર રક્તદાન થયું, આટલી બોટલ રક્ત એકત્ર કરાયું

મા ઉમિયાના ધામ વિશ્વ ઉમિયાધામના સ્મૃતિ મંદિરના તૃતીય પાટોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદ, ગાંધીધામ અને ભુજ એમ ત્રણ શહેરોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં લગભગ 200 થી વધુ બોટલનું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

  • 16

    Ahmedabad: અમદાવાદ, ગાંધીધામ,ભુજમાં પાટોત્સવ, ઠેરઠેર રક્તદાન થયું, આટલી બોટલ રક્ત એકત્ર કરાયું

    Parth Patel, Ahmedabad: વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના ધામ વિશ્વ ઉમિયાધામના સ્મૃતિ મંદિરના તૃતીય પાટોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે.

    MORE
    GALLERIES

  • 26

    Ahmedabad: અમદાવાદ, ગાંધીધામ,ભુજમાં પાટોત્સવ, ઠેરઠેર રક્તદાન થયું, આટલી બોટલ રક્ત એકત્ર કરાયું

    જ્યારે વિશ્વ ઉમિયાધામનો શિલાન્યાસ થયો ત્યારે અમદાવાદના જાસુપરની પૂણ્ય ભૂમિ પર સાક્ષાત જગત જનની મા ઉમિયા સ્મૃતિ મંદિરમાં બિરાજમાન થયા છે. ત્યારથી લઈ આજ દિન સુધીમાં વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિરનો ત્રીજો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 36

    Ahmedabad: અમદાવાદ, ગાંધીધામ,ભુજમાં પાટોત્સવ, ઠેરઠેર રક્તદાન થયું, આટલી બોટલ રક્ત એકત્ર કરાયું

    અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ સહિત કચ્છના ભુજ અને ગાંધીધામ સહિતના શહેરોમાં પાટોત્સવની ઉજવણી કરાઈ હતી. તૃતીય પાટોત્સવ નિમિત્તે સવારે ધ્વજારોહણ અને નવચંડી મહાયજ્ઞ સાથે જગત જનની મા ઉમિયાને અન્નકૂટ ધરાવાયો હતો. અન્નકુટની મહાપૂજા અને આરતી પણ કરાઈ હતી.

    MORE
    GALLERIES

  • 46

    Ahmedabad: અમદાવાદ, ગાંધીધામ,ભુજમાં પાટોત્સવ, ઠેરઠેર રક્તદાન થયું, આટલી બોટલ રક્ત એકત્ર કરાયું

    જેમાં ધ્વજાના યજમાન તરીકે કાંતિભાઈ રામ, અન્નકુટના યજમાન તરીકે સંજયભાઈ પટેલ વિસલપુર વાળા તથા નવચંડી મહાયજ્ઞના યજમાન તરીકે રાજેશભાઈ જી. પટેલ અને રંજનબેન આર. પટેલ તથા તેમના પરિવારે લાભ પ્રાપ્ત કર્યો હતો. આ સાથે જ સાંજે મા ઉમિયાની મહાઆરતી કરાઈ હતી. મહાઆરતી બાદ સૌ ભક્તજનોએ મા ઉમિયાના પ્રસાદીનો લાભ લીધો હતો.

    MORE
    GALLERIES

  • 56

    Ahmedabad: અમદાવાદ, ગાંધીધામ,ભુજમાં પાટોત્સવ, ઠેરઠેર રક્તદાન થયું, આટલી બોટલ રક્ત એકત્ર કરાયું

    વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર. પી. પટેલે જણાવ્યું હતું કે, જગત જનની મા ઉમિયા સાક્ષાત વિશ્વ ઉમિયાધામની ધરતી પર બિરાજ્યા હોય ત્યારે તૃતીય પાટોત્સવની ઉજવણી ન માત્ર જાસપુર મંદિર પરંતુ વિશ્વભરના અનેક શહેરોમાં કરાઈ છે.

    MORE
    GALLERIES

  • 66

    Ahmedabad: અમદાવાદ, ગાંધીધામ,ભુજમાં પાટોત્સવ, ઠેરઠેર રક્તદાન થયું, આટલી બોટલ રક્ત એકત્ર કરાયું

    પાટોત્સવની સાથો સાથ રક્તદાન કરી મા ઉમિયાના ભક્તોએ આ દિવસને યાદગાર બનાવ્યો છે. અમદાવાદ, ગાંધીધામ અને ભુજ એમ ત્રણ શહેરોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં લગભગ 200 થી વધુ બોટલનું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

    MORE
    GALLERIES