દીપિકા ખુમાણ, અમદાવાદઃ કોરોના વાયરસને (coronavirus) કારણે આ વર્ષે નવરાત્રીમાં (Navratri 2020) મેળવડા નથી. સરકારી ગાઈડ લાઈનને (coronavirus Guideline) ધ્યાન પર રાખીને લોકો પણ જાન હે તો જહાન હેના સૂત્રને અપનાવ્યું છે. જેને લઇને અમદાવાદીઓએ પોતાના ઘર પરિવારમાં તમામ તકેદારી સાથે ગરબા (Garba) રમવાનું નક્કી કર્યું છે.
આ પરિવારમાં લગભગ ચાર પેઢી ગરબા રમે છે. પહેલી પેઢીના લોકો ઊભા ગરબા અને બેઠા ગરબા રમીનેમાં દુર્ગાની આરાધના કરે છે. તો તેમના પછીની પેઢીને પણ પોતાના મિત્રોની સાથે ગરબા રમવાનો વસવસોના રહે અને પરિવાર સાથે ઘરમાં જ આ વર્ષે ની નવરાત્રી મહોત્સવ ઉજવી શકે તેવો માહોલ બનાવ્યો છે. જેને લઇને આ પરિવાર આજે ઉત્તમ દ્રષ્ટાંત બન્યું છે.
કોરોના વાયરસની પરિસ્થિતિમાં ઘર અને ટેરેસના કોનસેપ્ટ: અમદાવાદના નારણપુરા વિસ્તાર સાથે ઘણા અમદાવાદીઓ ટેરેસ પર ગરબા રમી રહ્યા છે. તો કેટલાક પોતાના ઘરમાં જ એન્જોય કરી રહ્યા છે. નવરાત્રીના માહોલમાં ગરબાને મિસ કરતા ખેલૈયાઓ હંમેશાં નવરાત્રીની રાહ જોતા હોય છે. ત્યારે આ વર્ષે કોરોના વાયરસને કારણે અમદાવાદીઓ નવરાત્રીને મિસ કરવા નથી માંગતા.