Home » photogallery » ahmedabad » લૉકડાઉન : રાજ્યમાં આજથી શરતોને આધીન દુકાનો ખોલવાની છૂટ, મંજૂરી લેવાની પણ જરૂર નહીં

લૉકડાઉન : રાજ્યમાં આજથી શરતોને આધીન દુકાનો ખોલવાની છૂટ, મંજૂરી લેવાની પણ જરૂર નહીં

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્ત્વનો નિર્ણય, ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીએ નિર્ણય લીધો, જાણો શરતો અને વિસ્તાર.

विज्ञापन

  • 16

    લૉકડાઉન : રાજ્યમાં આજથી શરતોને આધીન દુકાનો ખોલવાની છૂટ, મંજૂરી લેવાની પણ જરૂર નહીં

    ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, રાજ્યના તમામ જિલ્લાઓમાં રવિવાર તા. 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. કેન્દ્ર સરકારની  માર્ગદર્શિકાના અનુસંધાને રાજ્ય સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર તરફથી ખાસ કહેવામાં આવ્યું છે કે દુકાનદારે દુકાન ચાલુ કરવા માટે કોઈને મંજૂરી લેવાની પણ જરૂર નથી. તેમણે ફક્ત દુકાન નોંધણીનું સર્ટિફિકેટ કે લાઇસન્સ સાથે રાખવું પડશે. (ફાઇલ તસવીર)

    MORE
    GALLERIES

  • 26

    લૉકડાઉન : રાજ્યમાં આજથી શરતોને આધીન દુકાનો ખોલવાની છૂટ, મંજૂરી લેવાની પણ જરૂર નહીં

    ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીએ રાજ્ય માં આ નિર્ણયની જાહેરાત કરી છે. ધંધો વ્યવસાય કરવા માટેની છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 36

    લૉકડાઉન : રાજ્યમાં આજથી શરતોને આધીન દુકાનો ખોલવાની છૂટ, મંજૂરી લેવાની પણ જરૂર નહીં

    તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે. દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે.

    MORE
    GALLERIES

  • 46

    લૉકડાઉન : રાજ્યમાં આજથી શરતોને આધીન દુકાનો ખોલવાની છૂટ, મંજૂરી લેવાની પણ જરૂર નહીં

    દુકાનોમાં માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે. દુકાનદારોએ કલેક્ટર પાસે પાસ લેવા જવાની પણ જરૂર નથી. દુકાનદારો પોતાના ગુમાસ્તાધારાનું લાઇસન્સ સાથે રાખી અને દુકાનો ખોલી શકશે.

    MORE
    GALLERIES

  • 56

    લૉકડાઉન : રાજ્યમાં આજથી શરતોને આધીન દુકાનો ખોલવાની છૂટ, મંજૂરી લેવાની પણ જરૂર નહીં

    મુખ્યમંત્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે ગુજરાત માં IT તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ  50 ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 66

    લૉકડાઉન : રાજ્યમાં આજથી શરતોને આધીન દુકાનો ખોલવાની છૂટ, મંજૂરી લેવાની પણ જરૂર નહીં

    પાનના ગલ્લા નહીં ખુલે : પાનના ગલ્લા કે દુકાનોમાં ખોલી નહીં શકાય. આ ઉપરાંત સલૂન ખોલી શકાશે કે નહીં તે અંગે સાંજ સુધી નિર્ણય કરાશે. પગરખાની દુકાનો પણ નહીં ખોલી શકાય. સરકારના મતે જીવન જરૂરિયાત સિવાયની ચીજો વસ્તુ વેચતી દુકાનો નહીં ખુલે. પગરખા દુકાનો નહીં ખુલે. આઇસક્રિમ  પાર્લરો નહીં ખુલે. નાસ્તા ફરસાણની દુકાનો  અને ઠંડા પીણાં ની દુકાનો પણ નહીં ખુલે.

    MORE
    GALLERIES