પ્રણવ પટેલ, અમદાવાદઃ ધંધુકામાં (Dhandhuka firing case) કિશન ભરવાડ ફાયરિગ વિથ મર્ડર કેસના (Kishan bharwad murder case) પડઘા સમગ્ર ગુજરાતમા પડ્યા છે. સ્વ. કિશન ભરવાડના પરિવારનો સાંત્વના આપવા સમાજમાં અગ્રણી અને રાજકિય નેતાઓ એક પછી એક ચચાણા ગામની મુલાકાત લઇ રહ્યા છે. ભાજપ નેતા (BJP leader) અને ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોર (thakor sena pramukh Alpesh thakor) પણ પરિવારને સાંત્વના આપવા કિશન ભરવાડના ગામ ચચાણા ખાતે પહોંચ્યા હતા. કિશન ભરવાડની દિકરી હાથમાં લઇ તેના ઉજવળ ભવિષ્ય માટે એક લાખ રૂપિયા રોકડ રકમ આપી હતી.
વધુમા અલ્પેશ ઠાકોરે જણાવ્યુ હતું કે સરકારી તંત્ર હજુ પણ કડક બનવું પડશે . હમેશાં ધર્મ ગુરુઓ સમાજ રાહ ચિધતા હોય છે પરંતુ આવા મૌલવીએ ધર્મના ઠેકેદાર બનવા જરૂર નથી . કટ્ટવાદીઓ માટે ગુજરાતમા કોઇ સ્થાન નથી. આ સરદાર અને મહાત્મા ગાંધીનું ગુજરાત છે. કેટલાક લોકો ગુજરાતને તોડવા માંગે છે તેઓ સાંભળી લે જરૂર પડશે તો અલ્પેશ ઠાકોર તલવાર પણ કાઢશે. હાલ ગુજરાતમાં શસ્તી રાજનિતી થઇ રહી છે.