અમદાવાદ: ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં (Kishan bharwad murder case) એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આ ઘટનામાં સંડોવાયેલા કુલ 8 આરોપીઓની ધરપકડ અત્યાર સુધીમાં થઈ છે. જેમની પૂછપરછમાં સનસનીખેજ ખુલાસા થઈ રહ્યા છે. હત્યાની ઘટના બાદ તપાસ ATSને સોંપવામાં આવતા કુલ 8 આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન ખુલાસાઓ સામે આવ્યા છે. માત્ર ATS જ નહીં અન્ય કેન્દ્રીય એજન્સીઓ પણ આ મામલે તપાસ માટે ATSનો સંપર્ક કરી રહી હોવાનું સામે આવ્યું છે.
આ 8 આરોપીઓના રોલ અંગે જો વાત કરીએ તો કિસન અને ભૌમિક ભરવાડ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે શબ્બીર એ ગોળી મારી હત્યા કરી હતી. જેની સાથે પકડાયેલ ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો. આ ઉપરાંત જમાલપુરના મૌલાના આયુબની ધરપકડ થઈ તેમાં તેને શબ્બીરને હથિયાર પરું પડ્યું હોવાનું સામે આવ્યુ હતું. ત્યારબાદ અન્ય 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં દિલ્હીનો મૌલાના કમરગની છે.
કમરગની સંગઠન ટી.એફ.આઈ લખનઉથી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તે દેશભરમાં સંગઠન દ્વારા સભ્યો બનાવી રોજનો 01 રપિયો દાન મેળવે છે. ટી.એફ.આઈ ના 02 બેન્ક એકાઉન્ટ હોવાનું તપાસમાં સામે આવ્યું. બેન્ક એકાઉન્ટમાં નાણાકીય વ્યવહારો અંગે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. બેન્ક એકાઉન્ટ માં થયેલા નાણાંકીય વ્યવહારોની તપાસ કેન્દ્રીય એજન્સીઓ પણ કરી રહી છે.
કમરગની અને સબીર ની મુલાકાત અમદાવાદની શાહલમ ખાતેની મોટી મસઝીદ થઈ હતી. ટી.એફ.એ સંગઠન ના કમરગની ની બેવડી નીતિ સામે આવી રહી છે. સમાજ પર ટીકા ટિપ્પણી કરનાર લોકો પર કાયદાકીય પ્રકારીયા પણ કરાવતો અને જેહાદી ષડયંત્ર હેઠળ યુવાનોને હત્યા કરવા જેવા ગુનાઓ આચરવા માટે પ્રેરતો હતો. અન્ય આરોપીઓમાં પોરબંદર હુસેન ખત્રીએ શબિરને રહેવાની વયવસ્થા કરી આપી હતી.