અમદાવાદના રાણીપ વિસ્તારનાં કાઉન્સિલર દશરથભાઈ પટેલના દીકરાના લગ્ન 31 જાન્યુઆરીના રોજ નિર્ધાયા હતા ત્યારે પરિવારજનોએ ગાડી કે બગીમાં નહીં પરંતુ વરરાજાને લગ્નમંડપ સુધી લઈ જવા બળદગાડાનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો એટલું જ નહીં બળદગાડાને તેમણે પોતાની રીતે ડિઝાઈન કરાવ્યું જેને ડેકોરેટ પણ કરાવ્યું અને ત્યારબાદ બળદગાડામાં સવાર થઈને વરરરાજા પરણવા નીકળ્યા હતા.
વરરાજા બનેલાં જયશીલ પટેલે ન્યુઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતાં બળદગાડાના આ કોન્સેપ્ટ વિશે તો જણાવ્યું કે, વાસ્તવમાં તેમણે આ વિશે નવેમ્બર મહિનામાં વિચાર કર્યો હતો કે કેવી રીતે લગ્નમાં જુની સંસ્કૃત્તિને જાળવી શકાય એ કોન્સેપ્ટથી જાન લઈને લગ્નનાં માંડવા સુધી જવું આ માટે તેમણે બળદગાડાને ડિઝાઈન કરાવ્યું હતું.
આજે જ્યારે જાન લઈને અમે નીકળ્યાં ત્યારે ગાડામાં બેસતાં મને થોડો ડર લાગ્યો હતો કારણ કે જીવનમાં પહેલી વાર હું આ રીતે ગાડીમાં બેઠો છું પરંતુ આ રીતે ગાડામાં બેસીને અમદાવાદના રસ્તા પર જવુ અલગ જ અનુભવ થયો છે રાણીપ વિસ્તારમાં લોકો ઉભા રહીને ખાસ જાનને જોતાં હતા અને વીડિયો ફોટો લઈને લગ્ન માટે અભિનંદન કહેતાં ગયા.. જે અદભૂત અનુભવ રહ્યો હતો.
આ સંસ્કૃત્તિ તો જાણે ભુલાઈ જ ગઈ છે અમે નક્કી કર્યું છે કે હવે પરિવારમાં શરુ થયેલી આ પરંપરા અમે જાળવી રાખીશું. આ બળદગાડાને અમે ઘરે જ રાખીશું જે કોઈને જોઈશે એ આ બળદગાડાને અમારી પાસેથી લઈ જાય એવી વ્યવસ્થા કરીશું જે પણ પ્રસંગ માટે લોકો બળદાગાડું લેશે અને બદલામાં અમને જે વળતર મળશે એ માટે ગૌ માતાને ઘાસ ખવડાવવા અને તેનાં રાખ રખાવ માટે ઉપયોગમાં લઈશું.