Gujarat corona update: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ (coronavirus)માં સ્વતંત્રતા દિવસે ધરખમ ઘટાડો નોંધાયો છે. આજે 15 ઓગસ્ટ સ્વાતંત્ર્યતા દિનની સાંજે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 290 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા છે. બીજી તરફ 635 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.84 ટકા નોંધાયો છે. ત્યાં જ આજે કોરોનાથી બે દર્દીના મોત નિપજ્યા છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 15 ઓગસ્ટ 2022 સોમવારના રોજ રાજ્યમાં નવા 290 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 105 નોંધાઇ છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10993 પર પહોંચી ગયો છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં બે દર્દીના મોત નિપજ્યા છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 105, વડોદરા કોર્પોરેશન 39, કચ્છ 17, સુરત કોર્પોરેશન 17, ગાંધીનગર 13, સુરત 12, ભાવનગર કોર્પોરેશન 8, ગાંધીનગર કોર્પોરેશન 8, અરવલ્લી 7, રાજકોટ 7, મહેસાણા 6, નવસારી 6, સાબરકાંઠા 6, વલસાડ 6, આણંદ 5, મોરબી 5, રાજકોટ કોપોરેશન 5, બનાસકાંઠા 4, પંચમહાલ 4, ગીર સોમનાથ 3, વડોદરા 3, અમરેલી 1, ભાવનગર 1, જામનગર 1, જૂનાગઢ કોર્પોરેશન 1 કેસ નોંધાયો છે.