Ambala Patel Forecast : રાજયમાં વાતાવરણ (Gujarat Weather Update) પલટાય રહ્યું છે. વાદળ છાયું વાતાવરણ સક્રિય થતા ખેડૂતોને ચિંતા વધી છે.નવા વર્ષની શરૂઆતમાં વાદળ છાયા વાતાવરણથી જગતનો તાત ચિંતિત બન્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Weather Expert ambalal patel forecast) જણાવ્યું છે કે શિયાળામાં અષાઢી માહોલ સર્જાય શકે છે.કારણ કે બંગાળના ઉપસાગરમાં વારંવાર હવામાન હળવા દબાણ સક્રિય થવાની ચક્રવાત સક્રિય થશે.જેની અસર વાતાવરણ પર પડશે.
કમોસમી વરસાદ : રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ સક્રિય થયું છે.ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે 7 અને 8 નવેમ્બરની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે કમોસમી વરસાદની શકયતા છે.ભેજ વાળા પવનને લીધે ભારે માવઠાની શકયતા રહે છે. 12 નવેમ્બર પછીના માવઠા રાજ્યમાં અષાઢી માહોલનું સર્જન કરશે.જેમાં 12 થી 16 નવેમ્બરના રાજ્યમાં ભારે માવઠા થવાની શકયતા છે.પંચમહાલ, મહેસાણા, બનાસકાંઠા, સમી,હારીજ , અમદાવાદ, ગાંધીનગરમાં માવઠા થવાની શકયતા રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે દેશના ઉત્તરીય ભાગમાં વેસ્ટર્ન ડીસ્ટર્બનની અસર રહેશે.જેના કારણે પર્વતીય કેટલાક વિસ્તારો બરફની ચાદરમાં લપેટાય જવાની શક્યતા રહે છે.નવેમ્બર માસ વાદળ છાયું અને માવઠા વાળું રહેશે.જેની અસર જીરુના પાક પર વિપરીત અસર પડશે.વિસમ હવામાનની વિપરીત અસરથી કૃષિ પાકમાં રોગ થવાની શકયતા રહે છે.
અરબી સમુદ્રમાં ગઈકાલે લો પ્રેશર સક્રિય થયું હતું.જે વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું. હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સક્રિય વેલ માર્ક લો પ્રેશર પર મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.વેલ માર્ક લો પ્રેશર આગામી 24 કલાકમાં ડિપ્રેશન બનવાની શકયતા છે.ડિપ્રેશન બન્યા બાદ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનું અનુમાન છે.
રાજ્યના વાતાવરણ પલટો આવ્યો છે. બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારથી વાદળ છાયું વાતાવરણ સક્રિય થયું છે.અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વાદળ છાયું વાતાવરણ સક્રિય થયું છે.વાદળ છાયા વાતાવરણ અને તેજ ગતિએ પવન ફૂંકાતા વહેલી સવારે ઠંડીનો અહેસાસ થયો છે તો દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ઊંચું રહેવાસી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.