Home » photogallery » ahmedabad » સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદનું વિઘ્ન; ખેડૂતોની મહેનત પર પાણી ફર્યું, કચ્છમાં APMCમાં અનાજ પલળ્યું!

સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદનું વિઘ્ન; ખેડૂતોની મહેનત પર પાણી ફર્યું, કચ્છમાં APMCમાં અનાજ પલળ્યું!

Gujarat Rain: સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. જેને લઇને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

  • 16

    સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદનું વિઘ્ન; ખેડૂતોની મહેનત પર પાણી ફર્યું, કચ્છમાં APMCમાં અનાજ પલળ્યું!

    સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતના હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે તેવી આગાહી કરી છે.

    MORE
    GALLERIES

  • 26

    સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદનું વિઘ્ન; ખેડૂતોની મહેનત પર પાણી ફર્યું, કચ્છમાં APMCમાં અનાજ પલળ્યું!

    ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત મધ્ય ગુજરાતમાં પણ માવઠા પડી રહ્યા છે. જાણે ભરઉનાળે ગુજરાતમાં ભાદરવા જેવો માહોલ છવાઈ ગયો છે. તેને લઈને અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 36

    સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદનું વિઘ્ન; ખેડૂતોની મહેનત પર પાણી ફર્યું, કચ્છમાં APMCમાં અનાજ પલળ્યું!

    માવઠાંને કારણે ભૂજ એપીએમસીમાં ભારે નુકસાન થયું છે. માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પલળી ગયો છે. રાયડો, ધાણા અને અન્ય પાક પલળી ગયા છે

    MORE
    GALLERIES

  • 46

    સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદનું વિઘ્ન; ખેડૂતોની મહેનત પર પાણી ફર્યું, કચ્છમાં APMCમાં અનાજ પલળ્યું!

    ઉલ્લેખનીય છે કે, એપીએમસી ગોડાઉન માલ-સામન ભરવાની અપૂરતી સગવડ હોવાથી માલ પલળી ગયો છે અને હવે મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

    MORE
    GALLERIES

  • 56

    સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદનું વિઘ્ન; ખેડૂતોની મહેનત પર પાણી ફર્યું, કચ્છમાં APMCમાં અનાજ પલળ્યું!

    તો બીજી તરફ, ગુજરાતના અનેક જિલ્લામાં વાવાઝોડું આવ્યાના પણ બનાવ બન્યાં છે. જેને લઈને અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના પણ બની છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

    MORE
    GALLERIES

  • 66

    સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદનું વિઘ્ન; ખેડૂતોની મહેનત પર પાણી ફર્યું, કચ્છમાં APMCમાં અનાજ પલળ્યું!

    સમગ્ર ગુજરાતમાં એકબાજુ વરસાદી કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા છે, તો ખેડૂતોને માથે ચિંતાના વાદળો છવાઈ ગયા છે. એકબાજુ પાક તૈયાર થઈ ગયો છે અને કમોસમી વરસાદનું વિઘ્ન આવી પડ્યું છે. આવા સમયે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે તેવી સ્થિતિ પેદા થઈ છે અને તેમને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થશે તેવી શક્યતા છે. જેને લઈને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

    MORE
    GALLERIES