વિભૂ પટેલ, અમદાવાદ : વિધાનસભાની ચૂંટણીની જેમ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની (Gujarat sthanik swaraj election ) તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ સ્થાનિક સ્વરાજમાં વિવિપેટ નહિ હોય. જોકે વિધાનસભાની ચૂંટણીની મતગણતરી (Voting machine) થતી હોય ત્યારે કોઈ ઉમેદવાર (Candidates) વાંધો ઉઠાવે તો વિવિપેટની કાપલીની ગણતરી કરવામાં આવતી હોય છે. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇવીએમમાં (EVM) પડેલ ફાઇનલ મત હશે. જોકે ઇવીએમ મતદાન મથક લઈ જવાય પહેલા રાજકીય પક્ષોને સાથે રાખીને ચેકીંગ કરવા આવ્યું છે. તેમજ ટેક્નિકલ કોઈ ખામી નથી તે પણ ચેક કરવામાં આવ્યું છે.
અમદાવાદ કલેકટર સંદીપ સાગલે જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ માટે 16 રિટનિંગ ઓફિસને જવાબદારી સોંપવામાં આવી છે. જેને પહેલા તબક્કાનું ઇવીએમની તાપસ થયા બાદ રિટનિંગ ઓફિસને ઇવીએમ સોંપવામાં આવ્યા છે. તેમજ મતદાન મથક ઉપરની તૈયારી શરૂ કરવામાં આવશે.
અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ માટેની તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ શહેરના 48 વોર્ડના 16 રિટર્નિંગ ઓફિસરને કામગીરી સોંપવામાં આવી છે. 192 બેઠકના અંદાજે 4550 મતદાન મથકો પર ચૂંટણીલક્ષી કામગીરી માટે 28,000થી વધુ પોલિંગ સ્ટાફને ચૂંટણીલક્ષી કામગીરી માટે આપવામાં આવી છે. જોકે, અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 46.22 લાખ અંદાજીત મતદારો નોંધાયા છે.