Gujarat Corona Update: વિશ્વના અનેક દેશો કોરોનાવાયરસની ચોથી લહેરનો સામનો કરી રહ્યા છે (Fourth Wave of Coronavirus) ત્યારે ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં વેક્સિનેશનની તેજ રફતારના કારણે ત્રીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે. જોકે, હજુ ક્યાંક ક્યાંક છૂટાછવાયા નવા કેસો નોંધાતા રહે છે. દરમિયાન આજે 29મી એપ્રિલની સંધ્યાએ રાજ્યમાં કોરોનાવાયરસના 17 (Gujarat corona Cases) નવા કેસ નોંધાયા છે. આ નવા કેસમાં રાજ્યના મહાનગરોમાં જ એકલ દોકલ કેસ નોંધાઈ રહ્યા છે.
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 09, વડોદરા શહેરમાં 04, ગાંધીનગર શહેરમાં 02, ગાંધીનગર જિલ્લામાં 01, અને રાજકોટ શહેરમાં 01 મળીને કુલ 17 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આમ આજે 33 પૈકીના ફક્ત ગાંધીનગર જિલ્લામાં એક કેસ છે જ્યારે 8 પૈકીના 4 મહાનગરમાં નવા કેસ છે. બાકીના શહેર અને જિલ્લામાં કોરોનાનો સફાયો થયો છે.