Home » photogallery » ahmedabad » corona Update: રાજ્યમાં આજે ગઈકાલ કરતાં કોરોનાના કેસ વધ્યા, 31 જિલ્લા-5 મનપામાં શૂન્ય કેસ

corona Update: રાજ્યમાં આજે ગઈકાલ કરતાં કોરોનાના કેસ વધ્યા, 31 જિલ્લા-5 મનપામાં શૂન્ય કેસ

Corona Update: રાજ્યમાં કોરોના વાયરસના (Gujarat Coronavirus Covid-19 Cases) નવા કેસની સંખ્યા, સાજા થયેલા દર્દી અને રસીકરણની વિગતો સાથે આજનું કોરોના બૂલેટિન

विज्ञापन

  • 15

    corona Update: રાજ્યમાં આજે ગઈકાલ કરતાં કોરોનાના કેસ વધ્યા, 31 જિલ્લા-5 મનપામાં શૂન્ય કેસ

    Gujarat Corona Update: વિશ્વના અનેક દેશો કોરોનાવાયરસની ચોથી લહેરનો સામનો કરી રહ્યા છે (Fourth Wave of Coronavirus) ત્યારે ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં વેક્સિનેશનની તેજ રફતારના કારણે ત્રીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે. જોકે, હજુ ક્યાંક ક્યાંક છૂટાછવાયા નવા કેસો નોંધાતા રહે છે. દરમિયાન આજે 26મી એપ્રિલની સંધ્યાએ રાજ્યમાં કોરોનાવાયરસના 19 (Gujarat corona Cases) નવા કેસ નોંધાયા છે. આ નવા કેસમાં રાજ્યના મહાનગરોમાં જ એકલ દોકલ કેસ નોંધાઈ રહ્યા છે. 18મી એપ્રિલ કરતા કોરોનાના કેસમાં હળવો વધારો છે છતાં એકંદરે સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે.

    MORE
    GALLERIES

  • 25

    corona Update: રાજ્યમાં આજે ગઈકાલ કરતાં કોરોનાના કેસ વધ્યા, 31 જિલ્લા-5 મનપામાં શૂન્ય કેસ

    દરમિયાન આજે રાજ્યના અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 05 કેસ નોંધાયા છે, અમદાવાદ જિલ્લો, આણંદ જિલ્લો અને ગાંધીનગર શહેરમાં નવા 1-1 કેસ નોંધાયા છે. આમ કુલ 19 નવા કેસ ફક્ત 3 મહાનગર અને 2 જિલ્લામાં નોંધાયા છે. રાજ્યના 31 જિલ્લા અને 5 મહાનગરમાં 19મી એપ્રિલે કોરોનાનો સફાયો થઈ ગયો છે.

    MORE
    GALLERIES

  • 35

    corona Update: રાજ્યમાં આજે ગઈકાલ કરતાં કોરોનાના કેસ વધ્યા, 31 જિલ્લા-5 મનપામાં શૂન્ય કેસ

    રાજ્ય આજે 13 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 10, કચ્છ જિલ્લામાં 02 અને વડોદરા જિલ્લાનો 01 દર્દી સરકારી ચોપડે સાજો થયો છે જેના કારણે રાજ્યનો રિકવરી રેટ 99.10 ટકાએ સ્થિર છે.

    MORE
    GALLERIES

  • 45

    corona Update: રાજ્યમાં આજે ગઈકાલ કરતાં કોરોનાના કેસ વધ્યા, 31 જિલ્લા-5 મનપામાં શૂન્ય કેસ

    રાજ્યમાં હવે 99 એક્ટિવ કેસ છે, કુલ 00 દર્દી વેન્ટિલેટર પર છે. તમામ 99 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 12,13,234 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કારણે 10943 મોત સરકારી ચોપડે થયા છે.

    MORE
    GALLERIES

  • 55

    corona Update: રાજ્યમાં આજે ગઈકાલ કરતાં કોરોનાના કેસ વધ્યા, 31 જિલ્લા-5 મનપામાં શૂન્ય કેસ

    રાજ્યમાં આજે કુલ 1,23,967 દર્દીઓનું રસીકરણ થયું છે. અત્યારસુધીમાં 99.10 ટકા જેટલા દર્દી સાજા થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 10,74,09,720 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES