Gujarat corona update: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ (coronavirus)માં આજે ઘટાડો નોંધાયો છે. આજે 8 ઓગસ્ટની સાંજે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 661 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા છે. બીજી તરફ 692 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.67 ટકા નોંધાયો છે. ત્યાં જ ભાવનગર કોર્પોરેશનમાં 2 દર્દીના મોત નિપજ્યા છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 8 ઓગસ્ટ 2022 સોમવારના રોજ રાજ્યમાં નવા 661 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 201 નોંધાઇ છે. જોકે આજે રાજ્યમાં કોરોનાથી કુલ બે દર્દીઓનું મોત નિપજ્યું છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10980 પર પહોંચી ગયો છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 201, સુરત કોર્પોરેશન 39, મહેસાણા 34, સુરત 31, વડોદરા કોર્પોરેશન 57, અમદાવાદ 5, રાજકોટ કોર્પોરેશન 46, નવસારી 18, સાબરકાાંઠા 7, ગાંધીનગર 16, વડોદરા 25, બનાસકાંઠા 29, રાજકોટ 17, પાટણ 2, વલસાડ 6, મહીસાગર 2, જૂનાગઢ કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશન 5, મોરબી 22, ભરૂચ 5, કચ્છ 20, પંચમહાલ 5, ગાંધીનગર કોર્પોરેશન 20, તાપી 5, દેવભૂમિ દ્વારકા 1, ભાવનગર 1, આણંદ 5, જામનગર કોર્પોરેશન 13 કેસ નોંધાયા છે.