Gujarat corona update: ગુજરાતમાં કોરોના વાયરસના કેસો (coronavirus)માં મોટો ઘટાડો નોંધાયો છે. આજે કોરોના વાયરસના કેસ રાજ્યમાં અડધા થઇ ગયા છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના 1000થી વધુ કેસ નોંધાતા હતા જે આજે 600ની આસપાસ આવ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે 1 ઓગસ્ટની સાંજે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 606 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા છે. બીજી તરફ 729 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.62 ટકા નોંધાયો છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 1 ઓગસ્ટ 2022 સોમવારના રોજ રાજ્યમાં નવા 606 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 172 નોંધાઇ છે. જોકે આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ કોર્પોરેશનમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10971 પર પહોંચી છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 172, મહેસાણા 75, વડોદરા કોર્પોરેશન 48, સુરત 39, સુરત કોર્પોરેશન 38, ગાાંધીનગર 27, વડોદરા 25, રાજકોટ કોર્પોરેશન 19, કચ્છ 16, ગાંધીનગર કોર્પોરેશન 13, મોરબી 13, વલસાડ 12, ભાવનગર કોર્પોરેશન 11, પાટણ 10, અરવલ્લી 8, સાબરકાંઠા 8, સુરેન્દ્રનગર 8, તાપી 7, રાજકોટ 6, અમરેલી 5, જામનગર કોર્પોરેશન 5, નવસારી 5, અમદાવાદ 4, આણંદ 4, ભરૂચ 4, ગીર સોમનાથ 4, મહીસાગર 4, પોરબંદર 4, બનાસકાંઠા 3, ખેડા 3, જામનગર 2, પંચમહાલ 2, ભાવનગર 1, દેવભૂમિ દ્વારકા 1 કેસ નોંધાયા છે.