Home » photogallery » ahmedabad » Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, જાણો કયા કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, જાણો કયા કેટલા કેસ નોંધાયા

Gujarat covid-19 case latest update: ગુજરાતમાં કોરોના વાયરસના નવા 169 કેસો નોંધાયા છે. જ્યારે 327 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી (covid-19) સાજા થવાનો દર 98.96 ટકા નોંધાયો છે.

  • 14

    Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, જાણો કયા કેટલા કેસ નોંધાયા

    Gujarat corona update: ગુજરાતમાં બે મહિના બાદ કોરોના વાયરસના કેસમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 169 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યાં જ કોરોનાથી આજે 327 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.96 ટકાએ પહોંચી ગયો છે.

    MORE
    GALLERIES

  • 24

    Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, જાણો કયા કેટલા કેસ નોંધાયા

    ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 22 ઓગસ્ટ 2022 સોમવારના રોજ રાજ્યમાં નવા 169 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 50ની અંદર આવી ગઇ છે છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10999 પર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં કોરાનાથી આજે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી.

    MORE
    GALLERIES

  • 34

    Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, જાણો કયા કેટલા કેસ નોંધાયા

    રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 45, વડોદરા કોર્પોરેશન 26, રાજકોટ કોર્પોરેશન 18, સુરત કોર્પોરેશન 12, સુરત 8, વલસાડ 8, બનાસકાંઠા 6, નવસારી 6, વડોદરા 6, ગાંધીનગર કોર્પોરેશન 5, મહેસાણા 5, પંચમહાલ 4, મોરબી 3, પાટણ 3, ભરૂચ 2, ભાવનગર કોર્પોરેશન 2, ગાંધીનગર 2, કચ્છ 2, અમદાવાદ 1, જામનગર 1, પોરબંદર 1, રાજકોટ 1, સાબરકાંઠામાં 1 કેસ નોંધાયો છે.

    MORE
    GALLERIES

  • 44

    Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, જાણો કયા કેટલા કેસ નોંધાયા

    રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 2129 એક્ટીવ કેસ છે જે પૈકી 19 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 2110 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,54,821 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10999 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,57,368 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 12,12,79,497 લોકોનું રસીકરણ થયું છે.

    MORE
    GALLERIES