Gujarat Corona Update: અમદાવાદમાં એક બાજુ રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે ત્યાં જ શહેરમાં સતત કેસ વધી રહ્યા હતા, તેમા આજે આંશિક ઘટાડો નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Today Gujarat Corona virus Case)ના નવા કેસમાં ગઇ કાલની સરખામણીએ ઘટાડો નોંધાયા છે. ગુજરાતમાં 27 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની (Gujarat Covid Cases on 27-06-2022) સ્થિતિમાં સામાન્ય ઘટાડો થતા એક રાહતભર્યા સમાચાર છે. આજે રાજ્યામાં 400થી પણ ઓછા કોરોના કેસ નોંધાયા છે.
રાજ્યમાં સતત પાંચમા દિવસે 400થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હતા જેમા આજે આંશિક ઘટાડો નોંધાયો છે. કોરોના એક્ટિવ કેસનો આંકડો 2566 એ પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 27 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 351 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 158 કેસ નોંધાયા છે. અમદાવાદમાં આજે 98 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.
રાજ્યમાં આજે 27 જૂનની સંધ્યાએ કોરોનાના 351 નવા કેસ નોંધાયા છે. ત્યાં જ 248 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. અમદાવાદ કોર્પોરેશન 155, સુરત કોર્પોરેશન 71, વડોદરા કોર્પોરેશન 30, ગાાંધીનગર કોર્પોરેશન 12, વલસાડ 11, જામનગર કોર્પોરેશન 9, નવસારી 9, સુરત 8, ભાવનગર કોર્પોરેશન, ગાાંધીનગર, જામનગરમાં 05-05, ભરૂચ, પાટણ, રાજકોટ કોર્પોરેશન 04-04, અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર 03-03, કચ્છ અને મહેસાણામાં 02-02, અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સાબરકાાંઠા, વડોદરામાં 01-01 કેસ નોંધાયા છે.