Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે 8મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા 2502 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 7487 દર્દીઓ નોંધાયા છે. જોકે, ઘટતા જતા કેસ વચ્ચે પણ આજે 28 દર્દીનાં કરૂણ મોત થયા છે (Gujarat Corona deaths) રાજ્યમાં આજે કોરોનાના નવા કેસનો આંકડો ગઈકાલે 5 ઓછો છે.
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 874, વડોદરા શહેરમાં 404, રાજકોટ શહેરમાં 118, ગાંધીનગર શહેરમાં 94, બનાસકાંઠામાં 92, સુરત શહેરમાં 87, સુરત જિલ્લામાં 68, કચ્છમાં 61, રાજકોટ જિલ્લામાં 55, ખેડામાં 54, પાટણમાં 51, મહેસાણામાં 48 , આણંદમાં 31, ગાંધીનગરમાં 30, ભાવનગર શહેરમાં 28, ભરૂચમાં અને સાબરકાંઠામાં 24-24 છે.
આ ઉપરાંત અરવલ્લીમાં 22, મોરબી, નવાસરીમાં 21-21સ, અમદાવાદ જિલ્લામાં 20, પંચમહાલમાં 17, વલસાડમાં 16, અમરેલીમાં 12, જામનગર શહેરમાં 12, ડાંગમાં 09, કાપીમાં 08, જામનગર, નર્મદા, પોરબંદર, સુરેન્દ્રનગરમાં 7-7 કેસ નોંધાયા છે. દાહોદમાં 6, દેવભૂમિ દ્વારકા-ગીરસોમનાથમાં 5-5 કેસ નોંધાયા છે જ્યારે ભાવનગર, છોટાઉદેપુરમાં 4-4 કેસ નોંધાયા છે. બોટાદ, જૂનાગઢ શહેર, મહીસાગરમાં 1-1 કેસ મળીને કુલ 2502 કેસ નોંધાયા છે.