Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે 28મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા 117 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 344 દર્દીઓ સાજા થયા છે. સતત ઘટતા જતા કેસ વચ્ચે આજે 02 દર્દીનાં કરૂણ મોત થયા છે (Gujarat Corona deaths) રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે. આજે રાજ્યના 17 જિલ્લા અને 3 મહાનગરોમાં કોરોનાનો શૂન્ય કેસ નોંધાયો છે.
રાજ્યમાં આજે ત્રીજી લહેર આથમ્યા પછી પહેલીવાર એક સાથે 17 જિલ્લામાં કોરોનાનો સફાયો થયો છે. આ જે રાજ્યના અમરેલી, અરવલ્લી, ભરૂચ, ભાવનગર શહેર જિલ્લો, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારાકા, ગીર સોમનાથ, જામનગર શહેર જિલ્લો, જૂનાગઢ શહેર જિલ્લો, મહીસાગર, મહેસાણા, નર્મદા, પાટણ, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં શૂન્ય કેસ નોંધાયા છે.<br />પ્રતિકાત્મક તસવીર