Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે 21મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા 367 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે દર્દીઓ 902 સાજા થયા છે. ઘટતા જતા કેસ વચ્ચે પણ આજે 06 દર્દીનાં કરૂણ મોત થયા છે (Gujarat Corona deaths) રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે
રાજ્યમાં આજે અરવલ્લી, ખેડા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગરમાં 2-2 કેસ નોંધાયા છે. છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાનાથ, મહીસાગરમાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં આજે અમરેલી, ભાવનગર, બોટાદ, જામનગર, જૂનાગઢ જિલ્લો, જૂનાગઢ શહેર જિલ્લો, નર્મદા, પંચમહાલ, પોરબંદરમાં કોરોનાનો શૂન્યો કેસ નોંધાયો છે. આજે કુલ 367 નવા કેસ નોંધાયા છે જ્યારે 4 મોત થયા છે