Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે એક માર્ચના રોજ કોરોનાવાયરસના નવા 162 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 333 ર્દીઓ સાજા થયા છે. સતત ઘટતા જતા કેસ વચ્ચે આજે 02 દર્દીનાં કરૂણ મોત થયા છે (Gujarat Corona deaths) રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે. આજે રાજ્યના 17 જિલ્લા અને 3 મહાનગરોમાં કોરોનાનો શૂન્ય કેસ નોંધાયો છે.
અમદાવાદમાં, અરવલ્લી, દાહોદ, ડાંગ, જામનગર, સુરેન્દ્રગરમાં 1-1 કેસ નોંધાયો છે. આજે રાજ્યમાં અમરેલી, ભરૂચ, ભાવનગર શહેર જિલ્લો, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર શહેર, જૂનાગઢ શહેર જિલ્લો, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, પોરબંદર, રાજકોટ જિલ્લો, સાબરકાંઠમાં શૂન્ય કેસ નોંધાયો છે.