Gujarat corona update: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ (coronavirus)માં ઉતારચઢાવ જોવા મળી રહ્યો છે. આજે કોરોના વાયરસના કેસ ફરીથી વધ્યા છે. રાજ્યમાં ગઇકાલની સરખામણીમાં આજે કેસની સાથે ત્રણ દર્દીના મોત પણ નીપજ્યા છે. આજે 5 ઓગસ્ટની સાંજે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 947 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા છે. બીજી તરફ 1198 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.65 ટકા નોંધાયો છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 5 ઓગસ્ટ 2022 શુક્રવારના રોજ રાજ્યમાં નવા 947 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 305 નોંધાઇ છે. જોકે આજે રાજ્યમાં કોરોનાથી ત્રણ દર્દીના મોત નિપજ્યા છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10975 પર પહોંચી ગયો છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 305, વડોદરા કોર્પોરેશન 106, મહેસાણા 89, રાજકોટ કોર્પોરેશન 63, સુરત 39, વડોદરા 34, કચ્છ 32, અમરેલી 31, સુરત કોર્પોરેશન 27, ગાંધીનગર કોર્પોરેશન 20, રાજકોટ 20, બનાસકાંઠા 19, ભરૂચ 15, નવસારી 15, ભાવનગર કોર્પોરેશન 12, ગાંધીનગર 12, જામનગર કોર્પોરેશન 12, સાબરકાંઠા 12, વલસાડ 11, અમદાવાદ 10, પોરબંદર 10, આણંદ 8, સુરેન્દ્રનગર 7, અરવલ્લી 6, મોરબી 6, પાટણ 5, ખેડા 4, મહીસાગર 4, તાપી 4, ભાવનગર 2, ગીર સોમનાથ2, પંચમહાલ 2, જામનગર 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1 કેસ નોંધાયા છે.