Gujarat corona update: ગુજરાતમાં કોરોના વાયરસના કેસો (coronavirus)માં સતત વધારો નોંધાઇ રહ્યો હતો જેમા આજે આંશિક ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના 1000થી વધુ કેસ નોંધાતા હતા તેમા આજે ઘટાડો નોંધાયો છે અને કેસની સંખ્યા 1000ની અંદર આવી ગઇ છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે 31 જુલાઇની સાંજે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 942 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા છે. બીજી તરફ 679 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.61 ટકા નોંધાયો છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 31 જુલાઈ 2022 રવિવારના રોજ રાજ્યમાં નવા 942 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 321 નોંધાઇ છે. જોકે આજે રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10970 પર યથાવત છે.
વરસાદી પાણી વચ્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 321, વડોદરા કોર્પોરેશન 98, મહેસાણા 54, બનાસકાંઠા 47, સુરત કોર્પોરેશન 42, વડોદરા 42, સુરત 41, રાજકોટ કોર્પોરેશન 34, ગાંધીનગર 32, અમરેલી 23, ગાંધીનગર કોર્પોરેશન 22, રાજકોટ 22, ભાવનગર કોર્પોરેશન 19, નવસારી 15, આણંદ 14, પાટણ 13, સાબરકાંઠા 13, ભરૂચ 12, પોરબંદર 10, જામનગર કોર્પોરેશન 9, અમદાવાદ 8, કચ્છ 8, મોરબી 8, વલસાડ 8, ગીર સોમનાથ 4, સુરેન્દ્રનગર 4, બોટાદ 3, ખેડા 3, પંચમહાલ 3, દેવભૂમિ દ્વારકા 2, જુનાગઢ કોર્પોરેશન 2, તાપી 2, ભાવનગર 1, દાહોદ 1, જામનગર 1, મહીસાગર 1 કેસ નોંધાયા છે.