Gujarat corona update: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ (coronavirus)માં આજે સામાન્ય વધારો નોંધાયો છે. આજે 9 ઓગસ્ટની સાંજે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 678 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા છે. બીજી તરફ 810 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.68 ટકા નોંધાયો છે. ત્યાં જ અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત નિપજ્યું છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 9 ઓગસ્ટ 2022 મંગળવારના રોજ રાજ્યમાં નવા 678 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 261 નોંધાઇ છે. જોકે આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીઓનું મોત નિપજ્યું છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10981 પર પહોંચી ગયો છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 261, વડોદરા કોર્પોરેશન 91, સુરત કોર્પોરેશન 37, સુરત 29, રાજકોટ કોર્પોરેશન 27, મહેસાણા 22, બનાસકાંઠા 19, ગાંધીનગર કોર્પોરેશન 16, ભરૂચ 14, રાજકોટ 14, કચ્છ 13, અમરેલી 12, ગાંધીનગર 12, પાટણ 12, અરવલ્લી 10, સાબરકાંઠા 10, પોરબંદર 9, વડોદરા 8, આણંદ 7, ભાવનગર કોર્પોરેશન 7, નવસારી 7, વલસાડ 6, ખેડા 5, અમદાવાદ 4, જામનગર કોર્પોરેશન 4, પંચમહાલ 4, સુરેન્દ્રનગર 4, દાહોદ 3, મોરબી 3, ભાવનગર 2, જામનગર 2, દેવભૂમિ દ્વારકા 1, ગીર સોમનાથ 1, નર્મદા 1, તાપીમાં 1 કેસ નોંધાયો છે.