Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે 12 માર્ચના રોજ કોરોનાવાયરસના નવા 47 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 53 ર્દીઓ સાજા થયા છે. સતત ઘટતા જતા કેસ વચ્ચે આજે બે દર્દીના મોત થયા છે. (Gujarat Corona deaths) રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે. આજે રાજ્યના 27 જિલ્લા અને 4 મહાનગરોમાં કોરોનાનો શૂન્ય કેસ નોંધાયો છે.
આજે રાજ્યમાં 27 જિલ્લા અને 04 મહાનગરમાં શૂન્ય કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે અમાવાદ જિલ્લો, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર શહેર જિલ્લો, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર જિલ્લો, ગીર સોમનાથ, જામનગર શહેર જિલ્લો, જૂનાગઢ શહેર જિલ્લો, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ શહેર, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વલાસડ શૂન્ય કેસ નોંધાયા છે.