Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે 7 માર્ચના રોજ કોરોનાવાયરસના નવા 43 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 142 ર્દીઓ સાજા થયા છે. સતત ઘટતા જતા કેસ વચ્ચે આજે બે દર્દીના મોત થયા છે. (Gujarat Corona deaths) રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે. આજે રાજ્યના 26 જિલ્લા અને 3 મહાનગરોમાં કોરોનાનો શૂન્ય કેસ નોંધાયો છે.
રાજ્યમાં આજે કુલ 26 જિલ્લા અને 3 મહાનગરમાં કોરોનાના નવા શૂન્ય કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે વલસાડ, તાપી, સુરેન્દ્રગર, સુરત, રાજકોટ, પોરબંદર, પાટણ, પંચમહાલ, નવસારી, નર્મદા, મોરબી, મહીસાગર, મહેસાણા, કચ્છ, ખેડા, જૂનાગઢ શહેર જિલ્લો, જામગર શહેર, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, બોટાદ, ભાવનગર શહેર જિલ્લો, ભરૂચ, આણંદ, અમરેલીમાં નવા કેસ શૂન્ય નોંધાયા છે. આજે રાજકોટમાં એક અને સુરત જિલ્લામાં 1 મોત થયું છે કુલ 52 મોત થયા છે.