Gujarat corona update: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ (coronavirus)માં આજે ઘટાડો નોંધાયો છે. આજે કોરોના વાયરસના કેસમાં 200થી વધુ કેસનો ઘટાડો નોંધાયો છે. આજે 7 ઓગસ્ટની સાંજે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 768 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા છે. બીજી તરફ 899 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.66 ટકા નોંધાયો છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 7 ઓગસ્ટ 2022 રવિવારના રોજ રાજ્યમાં નવા 768 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 230 નોંધાઇ છે. જોકે આજે રાજ્યમાં કોરોનાથી કુલ ત્રણ દર્દીઓનું મોત નિપજ્યું છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10978 પર પહોંચી ગયો છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 230, વડોદરા કોર્પોરેશન 68, ગાંધીનગર 58, મહેસાણા 55, વડોદરા 45, સુરત કોર્પોરેશન 40, રાજકોટ કોર્પોરેશન 34, અમરેલી 28, સુરત 28, રાજકોટ 26, ગાંધીનગર કોર્પોરેશન 25, બનાસકાંઠા 21, ભરૂચ 18, કચ્છ 14, સાબરકાંઠા 14, નવસારી 9, પાટણ 9, જામનગર કોર્પોરેશન 8, અમદાવાદ 7, મોરબી 7, વલસાડ 6, ખેડા 3, આણંદ 2, ભાવનગર કોર્પોરેશન 2, દેવભૂમિ દ્વારકા 2, પોરબંદર 2, સુરેન્દ્રનગર 2, તાપી 2, ભાવનગર 1, ગીર સોમનાથ 1, જામનગરમાં 1 કેસ નોંધાયા છે.