Home » photogallery » ahmedabad » રાજ્યમાં 5 જિલ્લા-4 મનપામાં Coronaના ફક્ત 22 કેસ, 28 જિલ્લા-4 મનપામાં નવા કેસ શૂન્ય

રાજ્યમાં 5 જિલ્લા-4 મનપામાં Coronaના ફક્ત 22 કેસ, 28 જિલ્લા-4 મનપામાં નવા કેસ શૂન્ય

Gujarat Corona Updates: રાજ્યમાં 2 August 2021ના રોજ કોરોના કેસ અને વેક્સિન તેમજ તમામ વિગતો વાંચો આ અહેવાલમાં

  • 15

    રાજ્યમાં 5 જિલ્લા-4 મનપામાં Coronaના ફક્ત 22 કેસ, 28 જિલ્લા-4 મનપામાં નવા કેસ શૂન્ય

    અમદાવાદ : અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 22 કેસ નોંધાયા છે. જેની સામે 25 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10076 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.74 ટકા છે. અત્યાર સુધીમાં 3,40,76,401 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. આજે કુલ 2,49,099 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 25

    રાજ્યમાં 5 જિલ્લા-4 મનપામાં Coronaના ફક્ત 22 કેસ, 28 જિલ્લા-4 મનપામાં નવા કેસ શૂન્ય

    રાજયમાં કોરોના વાયરસની બીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે જેના કારણે હવે 20-30ની વચ્ચે રોજ નવા કેસ નોંધાઈ રહ્યા છે. દરમિયાન રાજ્યમાં આજે કુલ 28 જિલ્લા અને 4 મહાનગરમાં કોરોના વાયરસના શૂન્ય કેસ નોંધાયા છે. આમ શહેર હોય કે ગામ ગુજરાતમાં કોરોના કાબૂમાં છે.

    MORE
    GALLERIES

  • 35

    રાજ્યમાં 5 જિલ્લા-4 મનપામાં Coronaના ફક્ત 22 કેસ, 28 જિલ્લા-4 મનપામાં નવા કેસ શૂન્ય

    કેરળ જેવા રાજ્યમાં ત્રીજી વેવની દસ્તક છે તેવામાં ગુજરાત રાજ્યમાં 2 ઓગસ્ટના રોજ સૌથી વધુ વડોદરા શહેરમાં 8 કેસ નોંધાઈ રહ્યા છે જ્યારે સૌથી ઓછા 1 કેસ નોધાયા છે. આમ રાજ્યના ફક્ત 5 જિલ્લા અને 4 મનપામાં જ નવા કેસ નોંધાયા છે. આમ 22 કેસ માટે રાજ્યના અન્ય શહેરો પણ સુરક્ષિત છે.

    MORE
    GALLERIES

  • 45

    રાજ્યમાં 5 જિલ્લા-4 મનપામાં Coronaના ફક્ત 22 કેસ, 28 જિલ્લા-4 મનપામાં નવા કેસ શૂન્ય

    રાજ્યમાં હાલમાં ફક્ત 251 એક્ટિવ કેસ છે આ પૈકીના 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ફક્ત 247 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,14, 595 કેસ ડિસ્ચાર્જ થઈ જશે. રાજ્યમાં કુલ 10076 મોત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી એક પણ મોત થયું નથી.

    MORE
    GALLERIES

  • 55

    રાજ્યમાં 5 જિલ્લા-4 મનપામાં Coronaના ફક્ત 22 કેસ, 28 જિલ્લા-4 મનપામાં નવા કેસ શૂન્ય

    રાજ્યમાં આજે સૌથી વધુ 38,318 વ્યક્તિઓને અમદાવાદમાં રસી આપવામાં આવી છે. જ્યારે ત્યારબાદ સૌથી વધુ સુરત શહેરમાં 26,648 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. ત્યારબાદ આજે કચ્છમાં 15057 વ્યક્તિને રસી આપનવામાં આવી છે. સૌથી ઓછી ડાંગમાં 689 વ્યક્તિને રસી આપવામાં આવી છે.

    MORE
    GALLERIES