અમદાવાદ : રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 19 કેસ નોંધાયા છે. જેની સામે 18 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10084 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં આજની તારીખે રસીના કુલ 6,37,58,795 ડોઝ આપવામાં આવ્યા છે.
રાજયમાં 8 ઓક્ટોબર 2021ની સાંજે બીજા નોરતે રાજ્યના 28 જિલ્લા અને 4 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા 19 કેસ ફક્ત 5 જિલ્લા અને 4 મનપામાં નોંધાયા છે, જેમાંથી અમદાવાદ શહેરમાં 4, સુરત શહેરમાં 3, જૂનાગઢ જિલ્લામાં 2, રાજકોટ જિલ્લામાં 1, રાજકોટ શહેરમાં 1, સુરત જિલ્લામાં 1, વડોદરા શહેરમાં 1 કેસ નોંધાયો છે. બાકીના 28 જિલ્લા અને 4 મનપામાં કોરોનાના કેસ શૂન્ય છે ગુજરાતમાં કોરોના કેસમા સ્ટેબલ એક્ટિવ કેસની સંખ્યા 169