પ્રણવ પટેલ, અમદાવાદ : રાજયમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલ ટાઉતે વાવાઝોડાંએ ગીર-સોમનાથ ભાવનગર અને અમરોલી જિલ્લામાં તબાહ કરી દીધા છે ત્યારે ઉના તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂ ઘરે તથા ખેતરે જઈને લોકોની મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ભાઈ ચાવડા તેમજ સાથે ધારાસભ્ય પૂંજાભાઈ વંશ, ગીર સોમનાથ ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા , ઋત્વિક ભાઈ મકવાણા , રાજુભાઇ ગોહેલ તેમજ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ મુલાકાત લીધી દયનીય સ્થિતિનો સામનો કરી રહેલા લોકોની વેદનાઓ સાંભળી.
ગીર સોમનાથ વિધાનસભા ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે લગભગ ૫૦ વર્ષ જૂની આંબાવાડિયું, કેસર કેરીના બગીચાઓ, બાળકની જેમ ઉછેરેલા છોડ આજ પુખ્તવયના થયા અને આવક આપતા થયા હતા અને ૫૦ વર્ષ જૂના ઝાડ વાવાઝોડાની એક જ ઝપટે જમીન દોસ્ત થઈ ગયા, જડમૂળથી ઊખડી ગયા તેમજ નાળિયેરીઓ ૫ વર્ષથી ૨૫, ૩૦, ૪૦ વર્ષ જૂના થડીયા કે જેના ઉપર ખેડૂતોના ઘરનું ભરણપોષણ થતું હતું, આ બધી જ નાળિયેરીને વાવાઝોડાએ જડમૂળથી ઉખેડી ફેંકી દીધી છે.
ગીર સોમનાથ વિધાનસભા ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે લગભગ ૫૦ વર્ષ જૂની આંબાવાડિયું, કેસર કેરીના બગીચાઓ, બાળકની જેમ ઉછેરેલા છોડ આજ પુખ્તવયના થયા અને આવક આપતા થયા હતા અને ૫૦ વર્ષ જૂના ઝાડ વાવાઝોડાની એક જ ઝપટે જમીન દોસ્ત થઈ ગયા, જડમૂળથી ઊખડી ગયા તેમજ નાળિયેરીઓ ૫ વર્ષથી ૨૫, ૩૦, ૪૦ વર્ષ જૂના થડીયા કે જેના ઉપર ખેડૂતોના ઘરનું ભરણપોષણ થતું હતું, આ બધી જ નાળિયેરીને વાવાઝોડાએ જડમૂળથી ઉખેડી ફેંકી દીધી છે.
કોઈ માછીમારનો દીકરો ઘર પહેલા બોટ વસાવે કે જ્યાંથી એના પરિવારનું ભરણપોષણ થાય, આજ માછીમારો એવા સાગરખેડું પણ પાયમાલ છે અને જમીન ઉપર નભતા ખેડૂતો પણ પાયમાલ થઈ ગયા છે અને ગરીબ માણસોના લગભગ ગામ દીઠ 50થી 100 ખોરડાના નળિયા ઉડી ગયા છે, પતરા ઉડી ગયા છે, સિમેન્ટની શીટો ઉડી ગઈ છે, કાચી દીવાલ ધસી પડી છે, એની ઘરવખરી ક્યાંક પલળી ગઈ કે વાવાઝોડાની ફુંક ભેગી રફે-દફે થઈ ગઈ છે.
આવી ગંભીર સ્થિતિમાં આ સુતેલી સરકાર જાગે, હવાઈ નિરીક્ષણ બંધ કરી જમીન ઉપર ઉતરે, લોકોની સમસ્યાઓને સાંભળે, સમજે અને સત્વરે આનો સર્વે કરી 100% વળતર ચૂકવે એવી લાગણી અને માંગણી સરકાર સમક્ષ વ્યક્ત કરું છું.તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અર્જૂનભાઇ મોઢવાડિયા પણ અમરેલી જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તાર મુલાકત કરી હતી . વિપક્ષ નેતા પરેશ ધાનાણી , સાવરકુંડલા ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિત આગેવાનો હાજર રહ્યા હતા . નોંધનિય છે કે રાજ્ય સરકાર દ્વારા પણ નુકશાન સત્વરે સર્વે કરવા આદેશ અપાયા છે . તેમજ રાજ્યના મુખ્યમંત્રી પણ પ્રભાવિત વિસ્તારની મુલાકાત લઇ જાત નિરીક્ષણ કરી રહ્યા છે