Home » photogallery » ahmedabad » શું પ્રવીણ મારું ગુજરાતના મુખ્યમંત્રી બનશે? રાજકારણનો પારો ઊચકાયો

શું પ્રવીણ મારું ગુજરાતના મુખ્યમંત્રી બનશે? રાજકારણનો પારો ઊચકાયો

gujarat assembly elections 2022 : રાજકારણમાં તમામની કોઈ ને કોઈ મહત્વકાંક્ષા તો હોય જ છે પરંતુ પ્રવીણ મારુની ઈચ્છા રાજ્યમાં સીએમ બનવાની છે. હાલ તો પ્રવીણ મારુ ((pravin maru)) ની આ 'મહેચ્છા' થી ભાજપ (BJP) માં કહેવાતા સીએમના દાવેદારોમાં વિવાદનો મધપૂડો છંછેડાઇ ગયો છે.

विज्ञापन

  • 15

    શું પ્રવીણ મારું ગુજરાતના મુખ્યમંત્રી બનશે? રાજકારણનો પારો ઊચકાયો

    મયુર માંકડીયા, ગાંધીનગર : રાજ્યમાં 2022ના વર્ષમાં ચૂંટણી (gujarat assembly elections 2022) યોજાવાની છે. ચૂંટણીને હજુ 6 મહિનાની વાર છે જો કે ગુજરાતમાં મૌસમની ગરમી સાથે રાજકીય તાપમાનનો પણ પારો ઊંચકાયો છે. એક તરફ કોંગ્રેસ ગુજરાત (Gujarat Congress) માં તૂટી રહી છે તો આપ તથા ભાજપ (Gujarat BJP) માં ભરતી મેળો અકબંધ છે. જો કે આ તમામની વચ્ચે કોંગ્રેસના પૂર્વ mla પ્રવીણ મારુ (pravin maru) એ તો ગુજરાતના નવા સીએમ બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી દીધી, જેની ચર્ચાએ રાજકીય ગલીયારાઓમાં જોર પકડ્યું છે.

    MORE
    GALLERIES

  • 25

    શું પ્રવીણ મારું ગુજરાતના મુખ્યમંત્રી બનશે? રાજકારણનો પારો ઊચકાયો

    વાત જાણે એમ છે કે પ્રવીણ મારુ કોંગ્રેસમાં પાયાના કાર્યકર્તા હતાં. 40 વર્ષ સુધી ગઢડામાં તેમનો દબદબો રહ્યો. ગઢડા વિધાનસભામાં કોંગ્રેસની મોટા ભાગની જીતનું એક કારણ પ્રવીણ મારુની સ્થાનિક તથા આસપાસના વિસ્તારોની મજબૂત પકડ પણ હતી. જો કે 2020માં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી 8 mla એ રાજીનામુ આપ્યું હતું જેમાના એક પ્રવીણ મારુ પણ હતા. ત્યાર બાદ પેટાચૂંટણીમાં ભાજપે ગઢડા બેઠક પરથી આત્મારામ પરમારને ચૂંટણીના મેદાને ઉતર્યા.

    MORE
    GALLERIES

  • 35

    શું પ્રવીણ મારું ગુજરાતના મુખ્યમંત્રી બનશે? રાજકારણનો પારો ઊચકાયો

    સૂત્રોની વાત માનીએ તો ગઢડા બેઠક પર ભાજપ તરફી જીત માટે પ્રવીણ મારુ દ્વારા પણ કવાયત કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ લાંબા સમય સુધી તેઓ કોઈ પણ પક્ષ સાથે સીધી રીતે જોડાયા ન હતા. 14 એપ્રિલ 2022ને કમલમ ખાતે તેમને સત્તાવાર રીતે ભાજપનો ખેસ પહેરી કેસરિયા પહેરાવાયો.

    MORE
    GALLERIES

  • 45

    શું પ્રવીણ મારું ગુજરાતના મુખ્યમંત્રી બનશે? રાજકારણનો પારો ઊચકાયો

    મહત્વનું એ પણ છે કે, ભાજપમાં જોડાતી વખતે એમને આડકતરી રીતે ચૂંટણી લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી. પ્રેસ કોંફરન્સમાં એમને જ્યાં એકતરફ ભાજપમાં જોડાવવા માટે કોઈ શરતમૂકી હોવાની કહ્યું તો બીજી બાજુ ટીકીટ મળે તો લડવાની તૈયારી પણ બતાવી. જો બોર્ડ નિગમમાં પણ કોઈ પદ મળે તો એની માટે પણ ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે ચર્ચા નો વિષય ત્યારે બન્યો જ્યારે એમણે એવુ કહી દીધું કે, 'પાર્ટી સીએમ બનાવે તો પણ મને વાંધો નથી.

    MORE
    GALLERIES

  • 55

    શું પ્રવીણ મારું ગુજરાતના મુખ્યમંત્રી બનશે? રાજકારણનો પારો ઊચકાયો

    પ્રવીણ મારુ ના આ નિવેદનની સાથે જ ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજકારણમાં તમામની કોઈ ને કોઈ મહત્વકાંક્ષા તો હોય જ છે પરંતુ પ્રવીણ મારુ ની ઈચ્છા રાજ્યમાં સીએમ બનવાની છે એ આજે એમને કહ્યું હતું. ત્યારે ભાજપમાં પ્રવેશ સાથે આ નિવેદનના કેટલા અને કેવા પડઘા પડશે એ તો અવનાર દિવસોમાં જ ખ્યાલ અવશે પરંતુ, હાલ તો પ્રવીણ મારુની આ 'મહેચ્છા' થી ભાજપમાં કહેવાતા સીએમના દાવેદારોમાં વિવાદનો મધપૂડો છંછેડાઇ ગયો છે.

    MORE
    GALLERIES