Garvi Gujarat Tour Package: ગરવી ગુજરાત યાત્રા દરમિયાન ગુજરાતની સાસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને નિહાળવાની તક છે. આ ટ્રેનમાં મળનારી સુવિધાઓ અને ટિકિટ સહિતની જરુરી વિગતો અહીં આપવામાં આવી છે.
નવી દિલ્હી: ભારતીય રેલ વિભાગ એક ભારત, શ્રેષ્ઠ ભારત યોજના અંતર્ગત ભારત ગૌરવ ડીલક્ષ એસી ટૂરિસ્ટ ટ્રેન શરુ કરી છે. આ ટ્રેન દ્વારા ગરવી ગુજરાત યાત્રાની શરુઆત આજથી એટલે કે, 28 ફેબ્રુઆરીથી દિલ્હીના સફદરગંજ સ્ટેશનથી શરુ કરવામાં આવી છે.
2/ 8
આ યાત્રામાં વાયબ્રન્ટ ગુજરાતની વિરાસતને બતાવામાં આવી છે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકેન્ડ એસી ડબ્બા છે. આખા દિવસમાં આ ટ્રેન લગભગ આઠ કલાક ચાલશે. આ દરમિયાન, 3500 કિમીની યાત્રા પુરી કરશે.
3/ 8
આ “ગરવી ગુજરાત” ટ્રેનને માનનીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે 28 ફેબ્રુઆરી 2023 (મંગળવાર) ના રોજ દિલ્હી સફદરજંગ સ્ટેશનથી લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ટૂર સરકારની "એક ભારત શ્રેષ્ઠ ભારત" યોજનાની તર્જ પર તૈયાર કરવામાં આવી છે.
4/ 8
ભારત ગૌરવ ડીલક્ષ એસી ટૂરિસ્ટ ટ્રેનમાં ચાર ફર્સ્ટ એસી કોચ, બે સેકન્ડ એસી કોચ હશે. તેમાં શાનદાર પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરેન્ટ પણ હશે. આ ટ્રેનમાં લગભગ 156 પર્યટક એક સાથે મુસાફરી કરી શકશે. આ ટ્રેન ગુજરાતના હેરીટેજ અને તીર્થસ્થળના દર્શન કરાવશે.
5/ 8
ગરવી ગુજરાત ટૂર પેકેજમાં પર્યટકોને સ્ટેચ્યૂ ઓફ યૂનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, અમદાવાદ, મોઢેરા અને પાટણ જેવા સ્થળ બતાવશે. ટૂરિસ્ટ ગુરુગ્રામ, રેવાડી, રિંગાસ, ફુલ્લેરા અને અજમેર રેલ્વે સ્ટેશનથી પણ આ ટ્રેન પકડી શકશે.
6/ 8
IRCTCએ આ ટૂર પેકેજ માટે હપ્તામાં પૈસા આપવાનો વિકલ્પ પણ આપ્યો છે. તેના માટે આપે પેમેન્ટ ગેટ વેમાં ઈએમઆઈનો વિકલ્પ પસંદ કરી શકશો.
7/ 8
આ યાત્રામાં અક્ષરધામ મંદિર, સાબરમતી નદી, મોઢેરા સૂર્ય મંદિર, યૂનેસ્કોની વિરાસત સ્થળ સ્થળ પાટણમાં આવેલી રાણી કી વાવ, નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન પણ કરાવશે. ટ્રેન શાનદાર સુવિધાઓથી સજજ હશે. મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખતા તેમાં સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે.
8/ 8
આ સિવાય ગરવી ગુજરાત ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીઓને પ્રવાસના સ્થળ પર ગાઈડની સુવિધા પણ આપવામાં આવળશ. ટિકિટની સાથે મુસાફરોના વીમાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી: ભારતીય રેલ વિભાગ એક ભારત, શ્રેષ્ઠ ભારત યોજના અંતર્ગત ભારત ગૌરવ ડીલક્ષ એસી ટૂરિસ્ટ ટ્રેન શરુ કરી છે. આ ટ્રેન દ્વારા ગરવી ગુજરાત યાત્રાની શરુઆત આજથી એટલે કે, 28 ફેબ્રુઆરીથી દિલ્હીના સફદરગંજ સ્ટેશનથી શરુ કરવામાં આવી છે.
આ યાત્રામાં વાયબ્રન્ટ ગુજરાતની વિરાસતને બતાવામાં આવી છે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકેન્ડ એસી ડબ્બા છે. આખા દિવસમાં આ ટ્રેન લગભગ આઠ કલાક ચાલશે. આ દરમિયાન, 3500 કિમીની યાત્રા પુરી કરશે.
આ “ગરવી ગુજરાત” ટ્રેનને માનનીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે 28 ફેબ્રુઆરી 2023 (મંગળવાર) ના રોજ દિલ્હી સફદરજંગ સ્ટેશનથી લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ટૂર સરકારની "એક ભારત શ્રેષ્ઠ ભારત" યોજનાની તર્જ પર તૈયાર કરવામાં આવી છે.
ભારત ગૌરવ ડીલક્ષ એસી ટૂરિસ્ટ ટ્રેનમાં ચાર ફર્સ્ટ એસી કોચ, બે સેકન્ડ એસી કોચ હશે. તેમાં શાનદાર પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરેન્ટ પણ હશે. આ ટ્રેનમાં લગભગ 156 પર્યટક એક સાથે મુસાફરી કરી શકશે. આ ટ્રેન ગુજરાતના હેરીટેજ અને તીર્થસ્થળના દર્શન કરાવશે.
ગરવી ગુજરાત ટૂર પેકેજમાં પર્યટકોને સ્ટેચ્યૂ ઓફ યૂનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, અમદાવાદ, મોઢેરા અને પાટણ જેવા સ્થળ બતાવશે. ટૂરિસ્ટ ગુરુગ્રામ, રેવાડી, રિંગાસ, ફુલ્લેરા અને અજમેર રેલ્વે સ્ટેશનથી પણ આ ટ્રેન પકડી શકશે.
આ સિવાય ગરવી ગુજરાત ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીઓને પ્રવાસના સ્થળ પર ગાઈડની સુવિધા પણ આપવામાં આવળશ. ટિકિટની સાથે મુસાફરોના વીમાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.