અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસું (Gujarat mosoon) જામી ચુક્યું છે. અને સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ (Gujarat rain) પડી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ આભ (ahmedabad heavy rain) ફાટ્યાની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ચોમાસાની મૌસમમાં ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની (Gujarat coronavirus update) સ્થિતિ પણ ચડઉતર થઈ રહી છે. ત્યારે આજે શુક્રવારે ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની (Gujarat covid-19) સ્થિતિ અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 636 કેસ નોંધાયા છે. ગુજરાતમાં 622 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.80 ટકા નોંધાયો હતો. (પ્રતિકાત્મક તસવીર)
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે આજે 8 જુલાઈ 2022, શુક્રવારના રોજ ગુજરાતમાં કોરોના વાયરસના નવા 636 કેસ નોંધાયા છે. ગુજરાતમાં 622 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.80 ટકા નોંધાયો હતો. આ ઉપરાંક કોરોના વાયરસના કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. (પ્રતિકાત્મક તસવીર)
ગુજરાતમાં વિવિધ જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં કોરોના વાયરસના આંકડાની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 212 કેસ, સુરત કોર્પોરેશનમાં 86, વડોદરા કોર્પોરેશનમાં 57, સુરત કોર્પોરેશનમાં 38, ગાંધનગર કોર્પોરેશનમાં 30, ગાંધીનગરમાં 28, ભાવનગર કોર્પોરેશનમાં 26, વલસાડમાં 16, કચ્છમાં 15, ભરૂચમાં 13, નવસારીમાં 13, પાટણમાં 11, રાજકોટમાં 11, દેવભૂમિ દ્વારકામાં 8, અમરેલીમાં 7, જામનગર કોર્પોરેશનમાં 7, મોરબીમાં 7 કેસ નોંધાયા હતા. (પ્રતિકાત્મક તસવીર)