Home » photogallery » ahmedabad » Gujarat Corona: ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથું ઊચક્યું? જાણો ક્યાં કેટલા કેસ?

Gujarat Corona: ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથું ઊચક્યું? જાણો ક્યાં કેટલા કેસ?

Gujarat covid-19 case latest update: આજે 5 મે 2022ના દિવસે કોરોના વાયરસના નવા 25 કેસો નોંધાયા હતા. જ્યારે 14 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતા.

विज्ञापन

  • 15

    Gujarat Corona: ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથું ઊચક્યું? જાણો ક્યાં કેટલા કેસ?

    અમદાવાદઃ દિલ્હી સહિતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોમાં (coronavirus case) વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે દેશમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા (corona fourth wave) સંભળાઈ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં પણ કોરોનાએ (Gujarat covid-19 update) ફરીથી માંથુ ઉચક્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. આજે 5 મે 2022ના દિવસે કોરોના વાયરસના નવા 25 કેસો નોંધાયા હતા. જ્યારે 14 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતા. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 25

    Gujarat Corona: ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથું ઊચક્યું? જાણો ક્યાં કેટલા કેસ?

    ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા હતા. જ્યારે 14 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતા. બીજી તરફ એકપણ દર્દીનું કોરોનાથી મોત નીપજ્યું નથી. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 99.10 ટકા નોંધાયો હતો. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 35

    Gujarat Corona: ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથું ઊચક્યું? જાણો ક્યાં કેટલા કેસ?

    ગુજરાતના વિવિધ જિલ્લા અને મહાનગર પાલિકાઓમાં કોરોના વાયરસના કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 9 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 8 કેસ, અમદાવાદમાં 3 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 3 કેસ, આણંદમાં 1 કેસ, વડોદરામાં 1 કેસ નોંધાયો હતો. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 8 દર્દીઓ, વડોદરા કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 1, દાહોદમાં 1 અને સુરતમાં બે દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતા. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 45

    Gujarat Corona: ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથું ઊચક્યું? જાણો ક્યાં કેટલા કેસ?

    ગુજરાતમાં એક્ટીવ કેસોની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે કુલ 121 એક્ટીવ કેસ છે જેમાંથી બે દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. અત્યાર સુધીમાં 1213365 દર્દીઓ ડીસ્ચારજ થયા છે જ્યારે 10943 દર્દીઓ કોરોનાથી મોતને ભેટ્યાં છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 55

    Gujarat Corona: ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથું ઊચક્યું? જાણો ક્યાં કેટલા કેસ?

    ગુજરાતમાં કોરોના રસીકરણ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 42,725 લોકોનું રસીકરણ થયું છે. 12-14 વર્ષ સુધીના 3638 બાળકોને પહેલો ડોઝ અને 21503 બાળકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 7069 લોકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES