આજથી અષાઢ મહિનો (Ashath month) શરૂ થયો છે અને આવતી કાલ 1 જૂલાઈના દિવસે અષાઢી બીજ (Ashath bij)નિમિત્તે ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળનારા છે. ત્યારે રથયાત્રા પૂર્વ જ ગુજરાતમાં કોરોના (Gujarat covid-19 case) વિસ્ફોટ થયો હતો. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસો (coronavirus) અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 547 કેસ નોંધાયા હતા. ત્યારે 419 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતા. (પ્રતિકાત્મક તસવીર)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લા અને વિવિધ મહાનગરપાલિકાઓમાં કોરોનાના કેસોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના 222 કેસ નોંધાયા હતા. જ્યારે સુરત કોર્પોરેશનમાં 82, વડોદરા કોર્પોરેશનમાં 46 કેસ, વલસાડમાં 22, મહેસાણામાં 18, નવસારીમાં 18 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 16 કેસ, ભરૂચમાં 15 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 15 કેસ, જામનગર કોર્પોરેશનમાં 13 કેસ, સુરતમાં 11 કેસ નોંધાયા હતા. (પ્રતિકાત્મક તસવીર)