Ahmedabad corona effect: કોરોનાની મહામારી વચ્ચે (corona pandemic) નવા વેરિયન્ટ ઓમીક્રોનના કેસ (omicron variant) પણ વધી રહ્યા છે. જોકે દેશ દુનિયામાં પ્રાણીઓ સંક્રમિત થવાના કેસ સામે આવ્યા છે. ત્યારે પ્રાણીઓની સંકમિત ન થાય તે માટે પણ ગાઈડલાઈન આપવામાં આવી છે. જેને લઈ અમદાવાદ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં (ahmedabad kankariya zoo) પણ તકેદારી વધારી દેવામાં આવી છે. કારણ કે અમદાવાદ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સહેલાણીઓ આવતા હોય છે ત્યારે મનુષ્યમાંથી પ્રાણીમાં સંક્રમણ ન આવે તે માટે પ્રાણી સંગ્રહાલયમાં સેનિટાઇઝ (Sanitize at the zoo) કરવામાં આવી રહ્યા છે.
કાંકરિયામાં સહેલાણીઓ એન્ટર થાય ત્યારે વેકસીનેશન સર્ટિફિકેટ ચેક કરવામાં આવે છે.અને સહેલાણીઓનું થર્મલ ગનથી સ્કેનિગ કરવામાં આવે છે તેમજ હાથને સેનિટાઇઝ કરવામાં ત્યારે બાદ એન્ટ્રી આપવામાં આવી રહી છે.કાંકરિયા લેકની મુલાકાત કર્યા બાદ પ્રાણી સંગ્રહાલયની પણ મુલાકાતે જતા હોય છે ત્યારે લોકો માસ્ક પહેરી રાખે તેવો આગ્રહ રાખવામાં આવતો હોય છે.