Gujarat Corona Update: અમદાવાદમાં એક બાજુ રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે ત્યાં જ શહેરમાં 1 જુલાઇના રોજ મોટી સંખ્યામાં માનવ મહેરામણ રથયાત્રામાં જોડાશે ત્યારે રાજ્યમાં કોરોના કેસમાં વિસ્ફોટ થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Today Gujarat Corona virus Case)ના નવા કેસમાં ગઇ કાલની સરખામણીએ વધી ગયા છે. ગુજરાતમાં 28 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની (Gujarat Covid Cases on 28-06-2022) સ્થિતિ ચિંતાજનક બની ગઇ છે. આજે રાજ્યામાં 400થી પણ વધુ કોરોના કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 2800ની આસપાસ પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 28 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 475 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 158 કેસ નોંધાયા છે. અમદાવાદમાં આજે 216 કેસ નોંધાયા છે ત્યાં જ આજે 107 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.
રાજ્યમાં આજે 28 જૂનની સંધ્યાએ કોરોનાના 475 નવા કેસ નોંધાયા છે. ત્યાં જ 248 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. અમદાવાદ કોર્પોરેશન 211, સુરત કોર્પોરેશન 76, વડોદરા કોર્પોરેશન 35, જામનગર કોર્પોરેશન 17, મહેસાણા 14, નવસારી 12, વડોદરા 12, અમરેલી 10, ગાાંધીનગર કોર્પોરેશન 9, કચ્છ 8, ભરૂચ 7, ગાાંધીનગર 7, વલસાડ 7, અમદાવાદ 5, જામનગર 5, રાજકોટ કોર્પોરેશન 5, બનાસકાાંઠા 4, દેવભૂમિ દ્વારકા 4, ખેડા 4, આણાંદ 3, ભાવનગર કોર્પોરેશન 3, પાટણ 3, રાજકોટ 3, સુરત 3, ગીર સોમનાથ 2, મહીસાગર 2, સાબરકાાંઠા 2, પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં 01-01 કેસ નોંધાયા છે.