Gujarat corona update: ગુજરાતમાં કોરોના વાયરસના કેસો (coronavirus)માં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આજે સતત બીજા દિવસે 1100 થી વધુ કોરોના કેસ રાજ્યમાં નોંધાયા છે. આજે 29 જુલાઇની સાંજે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1128 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા છે. બીજી તરફ 902 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.63 ટકા નોંધાયો છે. જોકે આજે પણ અમદાવાદમાં સૌથી વધુ 391 કેસ નોંધાયા છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 29 જુલાઈ 2022 શુક્રવારના રોજ રાજ્યમાં નવા 1128 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 391 નોંધાઇ છે. જોકે આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ કોર્પોરેશનમાં ત્રણ દર્દીના મોત નિપજ્યા છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10968 પર યથાવત છે.
વરસાદી પાણી વચ્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 391, વડોદરા કોર્પોરેશન 121, મહેસાણા 79, સુરત 64, સુરત કોર્પોરેશન 52, ગાંધીનગર 51, કચ્છ 37, ગાંધીનગર કોર્પોરેશન 35, વડોદરા 31, રાજકોટ કોર્પોરેશન 29, ભરૂચ 22, રાજકોટ 22, વલસાડ 22, અમરેલી 16, ભાવનગર કોર્પોરેશન 16, નવસારી 15, પાટણ 15, મોરબી 14, બનાસકાંઠા 12, આણંદ 10, સાબરકાાંઠા 10, અમદાવાદ 9, જામનગર કોર્પોરેશન 8, અરવલ્લી 7, પોરબંદર 6, સુરેન્દ્રનગર 6, તાપી 6, ગીર સોમનાથ 4, જામનગર 4, પંચમહાલ 4, ભાવનગર 3, બોટાદ 2, જૂનાગઢ કોર્પોરેશન 2, ખેડા 2, દાહોદ 1 કેસ નોંધાયા છે.